દેશમાં નાગરીકતા સુધારા કાયદો (સીએએ) નેશનલ રજિસ્ટ્રેશન ઓફ સિટીજન્સ (એનઆરસી)ને લઈને થયેલા પ્રદર્શન દરમિયાન સરકારને તકેદારીનાં અનેક પગલા ભરવા પડ્યાં. મોબાઈલ પર અફવાઓ ફેલાતા અટકાવવા સરકારે અનેક તકેદારીનાં પગલા ભરવા પડ્યાં હતાં. મોબાઈલ પર અફવાઓ ફેલાતી અટકાવવા સરકારે અનેક જગ્યાએ ઈન્ટરનેટને બંધ કરી દીધું હતું. જેમાં ટેલિકોમ કંપનીઓને મોટું નુકસાન થયું હતું. જાણો ટેલિકોમ કંપનીઓને કેટલું નુકસાન થયું હતું?...
ભારતમાં પાકિસ્તાન અને સીરિયા કરતા વધારે વાર નેટ બંધ થયું
દેશની શાંતિ અને વ્યવસ્થા જળવાય એ માટે નેટ બંધ કરાયું
ઈન્ટરનેટ બંધ કરવા માટે કાયદો છે
નેટ બંધ થવાથી ગઈ આટલી મોટી ખોટ
ડિજિટલ અધિકારો માટે કામ કરનારા ગ્રુપ એક્સેસ નાઉ મુજબ ભારતીય મોબાઈલ ઓપરેટરોનાં સીએએ અને એનઆરસીને લઈને ઈન્ટરનેટ બંધ થવાથી દર કલાકનાં 2 કરોડ 45 લાખ રુપિયાનું નુકશાન થયું હતું. વિરોધ પ્રદર્શન કરનારાઓને રોકવા માટે સરકારે ઈન્ટરનેટ બંધ કરવાનો હુકમ કર્યો હતો. સંશોધન મુજબ જુલાઈ 2015થી જૂન 2016નાં મઘ્ય ટેલીકૉમ કંપનીઓનાં ઈન્ટરનેટ બંધ થવાથી લગભગ 96 કરોડનું નુકસાન થયું છે.
અફવાઓ ફેલાતા અટાવવા માટે
દેશમાં નાના બાળકોથી વૃદ્ધો સુધી દરેકની પાસે મોબાઈલ છે અને મોબાઈલમાં ઈન્ટરનેટ છે. મોબાઈલ આજે જરુરિયાત બની ગઈ છે, પરંતુ અસામાજિક તત્વોનાં કારણે આ મોબાઈલ સમાજ માટે અભિશાપ પણ બની ગયો છે. આવા લોકો અફવાઓ માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે અને જોત જોતામાં અફવાઓ જનતાનાં મનમાં ઘર કરી જાય છે.
પાકિસ્તાન અને સીરિયાથી આગળ
દેશમાં ઈન્ટરનેટ બંધ કરવાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જાન્યુઆરી 2016થી મે 2018નાં મધ્ય ભારતમાં સરકારી હુકમથી 154 વાર ઈન્ટરનેટ બંધ થયું. આ યાદીમાં પાકિસ્તાન, ઈરાન, સીરિયા, તુર્કી જેવા દેશો ભારત કરતા ઘણાં પાછળ છે. વર્ષ 2012થી હજું સુધી ઈન્ટરનેટનાં બંધ થવાનાં આવા 374 કિસ્સા બન્યાં છે. હાલનું જ ઉદાહરણ લઈએ તો ઉત્તર પ્રદેશમાં સીએએ અને એનઆરસીનાં વિરોધને કારણે ઈન્ટરનેટ બંધ કરવું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનાં કેટલાંક વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું.
ઈન્ટરનેટ બંધી માટે કાયદો છે
સરકારી લેવલ પર ઈન્ટરનેટ બંધ કરવા માટે કાયદેસરનો કાયદો છે. ટેંપરેરી સસ્પેન્શન ઓફ ટેલિકોમ સર્વિસિઝ(પબ્લિક ઈમરજન્સી ઓફ પબ્લિક સેફ્ટી) નિયમ 2017 હેઠળ અધિકારી ટેલિકોમ કંપનિઓને ઈન્ટરનેટ બંધ કરવાનો ઓર્ડર આપી શકે છે. ઉલ્લેખનીય છે કે આ અધિકારી કેન્દ્ર અથવા રાજ્ય સરકારમાં સંયુક્ત સ્તરથી નીચે ન હોવા જોઈએ.