સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ કનેક્શનને લઇને NCB આજે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરશે. જેમાં રિયા સિવાય 33 લોકોના નામ છે.
સુશાંત કેસમાં NCB દાખલ કરશે ચાર્જશીટ
રિયા સિવાય 33 આરોપીઓના નામ સામેલ
3 મહિના બાદ રજૂ કરી શકે છે સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ
NCB દાખલ કરશે 12 હજાર પેજની ચાર્જશીટ
NCB આજે મુંબઇમાં 12 હજાર પેજની ચાર્જશીટ દાખલ કરશે. ચાર્જશીટમાં રિયા ચક્રવર્તી સિવાય તેમના નજીકના લોકો અને કેટલાક ડ્રગ પેડલર્સના નામ પણ સામે આવ્યા છે.
3 મહિના બાદ સપ્લિમેન્ટ્રી ચાર્જશીટ રજૂ કરશે
NCBના જોનલ ડિરેક્ટર સમીર વાનખેડે ચાર્જશીટને લઇને કોર્ટ પહોંચશે. સુત્રોના જણાવ્યા અનુસાર ત્રણ મહિના બાદ NCB એક સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી શકે છે. જેમાં સારા અલી ખાન, શ્રદ્ધા કપૂરના નામ સામેલ થઇ શકે છે. તેમના વિરુદ્ધ પણ NCBના કેટલાક પુરાવા મળ્યા હતા. જે તપાસ હજુ પણ ચાલી રહી છે.
14 જૂને કરી હતી આત્મહત્યા
સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન 2020ના રોજ મુંબઇ સ્થિત પોતાના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ સુશાંતના પિતા કેકે સિંહે રિયા પર આરોપ લગાવતા પટનામાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ કેસ સીબીઆઇને સોંપવામાં આવ્યો હતો.
રિયા ચક્રવર્તીની સીબીઆઇ સિવાય ઇડી અને એનસીબીએ લાંબી પૂછપરછ કરી હતી. આ મામલે ડ્રગ એન્ગલ સામે આવ્યા બાદ રિયા અને શોવિકને સપ્ટેમ્બરમાં જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. મહિનો જેલમાં રહ્યાં બાદ બંને ભાઇ બહેનને જામીન મળ્યા હતા.