વાણીનો કારક એટલે બુધ ગ્રહ. જે રાશિની કુંડલીમાં બુધ શુભ સ્થાને હોય તો તે વ્યક્તિ બોલવામાં ક્યાંય પાછો ન પડે.
વાણીનો કારક છે બુધ
બુધની શુભ દ્રષ્ટિ હોય તો કોમ્યુનિકેશનમાં હોય છે પાવરધા
આસાનીથી સામે વાળી વ્યક્તિને કરી લે છે આકર્ષિત
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વાણીને બુધ ગ્રહનો કારક માનવામાં આવે છે. જે લોકો બુધ ગ્રહના પ્રભાવમાં હોય છે, તેઓ વાત કરવામાં માહિર હોય છે. જ્યારે પણ કોઈ ગ્રહની શુભ દ્રષ્ટિ કોઈ પણ રાશિ પર પડે છે તો તેનું ફળ વધવા લાગે છે. આજે આપણે એવી રાશિઓ વિશે જાણીશું, જેના પર બુધ ગ્રહની અસર થાય છે. આ લોકોને સારા સેલ્સમેન, બિઝનેસ અને કોમ્યુનિકેશનના ક્ષેત્રમાં સફળતા મળે છે.
મીન
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મીન રાશિ છેલ્લી રાશિ છે. તેમનો સ્વામી ગુરુ છે. તેને શુભ ગ્રહ માનવામાં આવે છે. કહેવાય છે કે ગુરુ જ્ઞાન સાથે સંબંધિત છે અને જ્યારે આ રાશિ પર બુધ શુભ હોય છે તો તે તર્કશાસ્ત્રમાં નિપુણ હોય છે. આ લોકો હાજર જવાબી હોય છે. વાત કરવામાં કોઇ પહોંચી ન વળે. આ રાશિના લોકોના નામ દી, ડુ, થ, ઝા, જે, દે, દો, ચા, ચી અક્ષરોથી શરૂ થાય છે. જ્ઞાનના બળ પર આવા લોકો જીવનમાં ઘણી પ્રગતિ કરે છે.
મિથુન
ક, છ અને ઘ અક્ષરોથી શરૂ થતા નામવાળા લોકોની રાશિ મિથુન છે. મિથુન રાશિને જ્યોતિષમાં વિશેષ રાશિ માનવામાં આવે છે. તેમનો શાસક ગ્રહ બુધ છે, જે વાણીનો કારક માનવામાં આવે છે. મિથુન રાશિના જાતકોની કુંડળીમાં બુધ શુભ સ્થાનમાં છે. તેમનો અવાજ ખૂબ જ મધુર હોય છે. આટલું જ નહીં તેઓ પોતાના શબ્દોથી બીજાને પણ આકર્ષિત કરી શકે છે.
કન્યા
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોનું નામ પ, ઠ અને ણથી શરૂ થાય તેને કન્યા રાશિ કહેવાય. આ લોકો જન્મથી જ ખૂબ જ બુદ્ધિશાળી માનવામાં આવે છે. વસ્તુઓ ખૂબ જ ઝડપથી સમજે છે. લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરે છે.. તે પોતાની પ્રતિભા અને કલાત્મકતાને કારણે ઓફિસ પર પ્રભુત્વ ધરાવે છે. આ લોકો બોસ માટે ખાસ હોય છે. તેમના મનના કારણે તેઓ જીવનમાં ખૂબ જ ઝડપથી પ્રગતિ કરે છે. અભ્યાસમાં સારા હોય છે. તેમનું વ્યક્તિત્વ ખૂબ જ આકર્ષક હોય છે. તેઓ ધીમે બોલવાનું પસંદ કરે છે .