રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા અને કન્નડ અભિનેતા સંચારી વિજય રોડ અકસ્માતમાં ઘાયલ થઇ ગયા છે.
સાઉથના એક્ટરનું થયુ મોત
અકસ્માત બાદ બ્રેનડેડ જાહેર
પરિવાર કરશે વ્હાલસોયાના અંગદાન
અભિનેતા બાઇક પર સવાર હતા અને વાહન લપસતા આ દુર્ઘટના ઘટી હતી. એક્ટરનું ઇલાજ ચાલી રહ્યું છે અને ડૉક્ટરે કહ્યું કે તે બ્રેન ડેડ થઇ ગયા છે હવે તેના પરિવારે નક્કી કરવાનુ છે કે તે અંગદાન કરશે કે નહી.
સૂત્રોનું માનીએ તો તેનો પરિવાર અંગદાન કરવા માટે તૈયાર થઇ ગયો છે. કન્નડ અભિનેતા વિજય શનિવારે 12 જૂનના રોજ રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા. જ્યારે તે પોતાના મિત્રના ઘરેથી પરત ફરી રહ્યાં હતા ત્યારે એક્સિડેન્ટ થઇગયુ હતુ અને ગંભીર ઇજા પહોંચી હતી. 14 તારીખે તેને બ્રેન ડેડ ઘોષિત કરી દેવામાં આવ્યો છે.
એક રિપોર્ટ પ્રમાણે માહીતી આવી હતી કે વિજયની હાલત નાજુક છે અને તેની સ્થિતિ ગંભીર છે. તેના મગજમાં લોહી જામી ગયુ હતુ જેના કારણે એક સર્જરી પણ કરવામાં આવી હતી અને આવનારા 48 કલાક તેના માટે ગંભીર રહેશે તેવું કહેવામાં આવ્યુ હતુ પરંતુ તે બ્રેનડેડ થઇ ગયા છે.
વિજયે 2011માં ફિલ્મ રંગપ્પા હોગબિટના સાથે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જે બાદ તે ઘણી કન્નડ ફિલ્મોમાં દેખાયા હતા. દાસાવલા, હરિવુ, ઓગરાને, વર્ધમાન અને સિપાઇ જેવી ફિલ્મો સામેલ છે. તેને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો.