તમને જાણીને નવાઈ થશે કે વિશ્વની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલિફાની આર્કિટેક ડિઝાઇન કરતાં પહેલાં ગુજરાતના ખેડામાં નર્મદા નિગમ દ્વારા નર્મદા નહેર ઉપર ગળતેશ્વરના પીપળીયા પાસે મહીસાગર નદી ઉપર નર્મદા નહેરને પસાર કરવા આ અનોખી ડિઝાઇનથી બનાવાવમાં આવી છે કેનાલ.
બુર્જ ખલિફા કરતા પણ અજાયબ આર્કિટેક ડિઝાઇન
મહી જળસેતુ દુનિયાનો સૌથી મોટો જળસેતુ
નીચે મહીસાગર,ઉપર નર્મદા કેનાલ, બુર્જ ખલિફા કરતાં પણ વધુ કોંક્રિટ વર્ક સેવાલિયા 458 કિમી લાંબી નર્મદા મુખ્ય કેનાલ દુનિયાની સૌથી લાંબી પાકી ઇરિગેશન કેનાલ છે. નર્મદા મુખ્ય કેનાલમાં 142 કિમી અંતરે મહી નદી પર દુનિયાનું સૌથી મોટું એક્વેડક્ટ છે. એક્વેડક્ટ એટલે નદીની ૩ ઉપરથી કેનાલને પસાર કરવાનું સ્ટ્રકચર. આ ડિઝાઇન એન્જિનિયરિંગ માર્વેલ ગણાય છે.
બુર્જ ખલીફા કરતા વધુ વપરાયું કોંક્રિટ
તેમાં 3. 87 લાખ ક્યુબિક મીટર કોંક્રિટ વપરાયું છે જ્યારે બુર્જ ખલિફામાં 330 લાખ ક્યુબિક મીટર કોંક્રિટ વપરાયું છે. અવેડક્ટ ડિઝાઇનને નેશનલ બ્રિજ એન્જિનિયરર્સ એસોસિએશન દ્વારા એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
2000 માં પૂર્ણ કરાયું કામકાજ
મહી જળસેતુ મહી જળસેતુના બાંધકામનું કામ મેસર્સ કોન્ટીનેન્ટલ કન્સ્ટ્રકશન કંપની લીમીટેડ, નવી દિલ્હીને માર્ચ 1991 માં સુપ્રત કરવામાં આવ્યું હતું. મહી જળસેતુનું નિર્માણ મે 2000માં પૂર્ણ કરવામાં આવ્યું છે. મહી નદી નર્મદા પછીની ગુજરાતની મોટામાં મોટી નદી છે. આ નદી ઉપરથી 7 ફુટની ઉચાઈએથી 4000 ક્યુસેક જળરાશી સરદાર સરોવરની મુખ્ય નહેર દ્વારા પસાર કરવાની કપરી કામગીરી જળસેતુના સુંદર નિર્માણ દ્વારા કરવામાં આવી છે.
મહી જળસેતુ દુનિયાનો સૌથી મોટો જળસેતુ
નર્મદા મુખ્ય નહેર દુનિયાની સૌથી મોટી અસ્તર ધરાવતી નહેર છે,જ્યારે મહી જળસેતુ દુનિયાનો સૌથી મોટો જળસેતુ છે. મહી જળસેતુ 25 મીટરના એક એવા 24 ગાળા સાથે 60. 5 મીટર લાંબો છે. મહી જળસેતુની નદીના તળની ઉચાઈ 110 ફટ છે, 35,600 ક્યુસેક પાણીનો જથ્થો, 6.1 મીટર પહોળાઈ અને 7.6 મીટર ઉચાઈના એક એવા આઠ બોગદામાંથી પસાર થશે.
આ બોગદાઓને 3.30 મીટર જાડા અને 63.10 મીટર લાંબા એવા 25 થી 27 મીટર ઉચા 23 પીયર તેમજ બન્ને છેડે એક એબટમેન્ટનો આધાર આપવામાં આવેલ છે. મહી જળસેતુમાં 3 90, 00 ઘનમીટર માટીકામ, 3.67% ઘનમીટર જેટલું કોંક્રીટ કામ થયેલ છે. જળસેતુના બાંધકામમાં 22858 મેટ્રીક ટન લોખંડ વાપરવામાં આવ્યું છે.
બાંધકામ પાછળ કુલ 137.7 કરોડ રૂપિયાનો ખર્ચ
જળસેતુના બાંધકામ પાછળ કુલ 137.7 કરોડ રૂપિયાનો ખર્ચ થયેલ છે. આ વિશાળકામ જળસેતુનું બાંધકામ એસ્કેવેટર, ડોઝર, રોલર, કલાકની 90 ક્યુબીક મીટર ક્ષમતા ધરાવતા બેચીંગ મીક્ષીંગ પ્લાન્ટ, 4 અને 6 ક્યુબીક મીટર ક્ષમતા ધરાવતા ટ્રાન્ઝીટ મીક્ષર ક્રેન અને કોંક્રીટ પંપ દ્વારા કરવામાં આવેલ છે. મહી જળસેતુના પીયરનું કોંક્રીટ કામ ખાસ પ્રકારની મશીનરી મારફતે 'સ્લીપ ફોર્મ'થી કરવામાં આવ્યું છે.