ભગવાન હનુમાનજીના ઘણા મંદિરોના ચમત્કારો વિશે તમે સાંભળ્યું હશે. માન્યતાઓ મુજબ હનુમાનજીને અમર થવાનું વરદાન મળ્યું છે. જેથી તેઓ આજે પણ ધરતી પર બિરાજમાન છે. આજે અમે તમને જણાવશું હનુમાનજીના એક એવા મંદિર વિશે જ્યાં હનુમાનજી શ્રધ્ધાળુઓની ઇચ્છાતો પૂર્ણ કરે છે. આ સાથે પ્રભુ ત્યાં હોવાનો અનુભવ પણ કરાવે છે.
ઉત્તરપ્રદેશના ઇટાવાથી લગભગ 12 કિમી દુર થાના સિવીલ લાઇન વિસ્તારમાં રૂરા ગામ નજીક અને યમુના નદી પાસે પિલુઆ મહાવિર મંદિર છે. આ મંદિરમાં સ્થિત હનુમાનજીની મૂર્તી પ્રસાદ ખાય છે અને મૂર્તીની આસપાસથી રામ નામની ધ્વની સાંભળવા મળે છે.
સ્થાનિકો દ્વારા મળતી માહિતી મુજબ લગભગ ત્રણસો વર્ષ પહેલાં આ વિસ્તાર પ્રતાપનેરના રાજા હુક્મ ચંદ્ર પ્રતાપસિંહ ચૌહાણનો હતો. જે રાજાને સપનામાં આવી ભગવાન હનુમાનજીએ દર્શન આપ્યા અને તેઓ અહીં બિરાજમાન છે તેવુ દર્શાવ્યું. ત્યારબાદ રાજા પ્રતાપસિંહ ચૌહાણ તે સ્થાન પર ગયા અને મૂર્તી ઉઠાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમનાથી મૂર્તી ઉઠી શકી નહી.
ત્યારબાદ રાજા પ્રતાપસિંહે તે જગ્યા પર મંદિરનું નિર્માણ કરાવ્યું. દક્ષિણમુખે સ્થાપિત આ મૂર્તીની કિર્તી ચારે તરફ ફેલાયેલી છે. દુર દુરથી શ્રધ્ધાળુઓ અહીં માનતાઓ લઇને આવે છે અને ભગવાન હનુમાનજી પૂરી કરે છે.