ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ માટે જગદીશ ઠાકોર અને વિરોધ પક્ષના નેતા માટે સુખરામ રાઠવા લગભગ ફાઈનલ જેવા જ
દિલ્લીમાં નામ નક્કી ઔપચારિક જાહેરાત બાકી-સૂત્ર
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરનું નામ નક્કી
વિધાનસભા વિપક્ષ નેતા તરીકે સુખરામ રાઠવાનું નામ નક્કી
ડો.રઘુ શર્માના પ્રભારી થતા જ દિલ્હીમાં લગભગ 26 કોંગ્રેસી નેતાઓની બેઠક બોલાવાઈ હતી. જેમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી,અમિત ચાવડા, હાર્દિક પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં ગુજરાતના પ્રભારી પદે કેટલાક નામ વહેતા થયા હતા. પણ આજ દિન સુધી હજુ પણ ગુજરાત કોંગ્રસને નવા અધ્યક્ષ મળ્યા નથી કોંગ્રેસનું કોકળું કયા ગુંચવાયું છે તે મોટો સવાલ છે પણ હાલ સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ આવતી કાલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જાહેરાત થઈ શકે છે. જેમાં જગદીશ ઠાકોરનું નામ લગભગ ફાઇનલ છે.
ગુજરાત કોંગ્રેસમાં કેટલાક સમયથી પ્રમુખ અને વિપક્ષ નેતાની વરણી માટેની રાહ જોવાઇ રહી હતી ત્યારે જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવાને દિલ્હી તેડું આવતા હવે ગમે તે સમયે નામની જાહેરાત થઈ શકે છે. જગદીશ ઠાકોર કોંગ્રેસના OBC નેતાઓમાં મોટો ચહેરો છે અને આમ પણ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે OBC નેતા પર વધારે પસંદગી ઉતારતી હોય છે. અને વિપક્ષ નેતા તરીકે પાટીદારને લાવતી હોય છે. પણ આ વખતે OBC+ આદિવાસીનું સમીકરણ બેસાડવાની ફિરાકમાં કોંગ્રેસ આ બંને નેતાઓના નામ પર મંજૂરીની મહોર મારી શકે છે.
કોણ છે જગદીશ ઠાકોર?
કોંગ્રેસના સિનિયર નેતા સાથે પક્ષમાં સારી છાપ ધરાવતા નેતા
ઉત્તર ગુજરાતના દિગ્ગજ OBC નેતા
ગુજરાત કોંગ્રેસમાં ઉપ પ્રમુખ રહી ચુક્યા
એક વાર સાંસદ અને બે વાર ધારાસભ્ય રહેવાનો અનુભવ
2009થી 2014 સુધી પાટણના સંસદ સભ્ય
2002થી 2007 દહેગામથી ધારાસભ્ય
2007થી 2009 સુધી બીજી ટર્મમાં દહેગામથી ધારાસભ્ય રહ્યા
વિદ્યાર્થીકાળથી રાજકારણમાં સક્રિય
1985થી 1994 સુધી યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ
1998માં કોંગ્રેસ OBC સેલના પ્રમુખ તરીકે રહ્યા
જગદીશ ઠાકોરને ભરતસિંહ સોલંકીની નજીકના માણસ
કોણ છે સુખરામ રાઠવા?
પાવી-જેતપુર ક્વાંટ બેઠક પરથી ધારાસભ્ય
કોંગ્રેસના આદિવાસી નેતા
2017માં ભાજપ પાસેથી બેઠક છીનવી હતી
2017માં ભાજપ નેતા જયંતિ રાઠવાને હરાવ્યા હતા
2017માં જયંતી રાઠવાને 3,052 મતોથી હરાવ્યા હતા
2012ની ચૂંટણીમાં જયંતી રાઠવા સામે ચૂંટણી હાર્યા હતા
2012માં ચૂંટણી હારવા છતા કોંગ્રેસે 2017માં ફરી ટિકિટ આપી હતી
આદિવાસી જાતિના દાખલાને લઈને ગાંધીનગરમાં આંદોલન પણ કર્યુ હતુ
કોરોનાકાળ દરમિયાન મૃત્યુઆંક છુપાવવાનો મુદ્દો સુખરામ રાઠવાએ ઉઠાવ્યો હતો