ટાઈટેનિક જહાજ ડુબવાની ઘટનામાં લગભગ 1500 લોકો મર્યાં હતાં. પહેલી વાર હિમશીલા સાથે અથડાવા અને સમુદ્રમાં સમાધી લેવાની ઘટનાં બાબતે એક ડોક્યુમેન્ટ્રી સામે આવી છે. આ જહાજ કેમ ડુબ્યું હતું. ક્યાં ખુલાસા આટલા વર્ષો પછી થઈ રહ્યાં છે....
ટાઈટેનિકની બારીઓ ખોલવાથી મોટું નુકશાન થયું હતું
મશીનોથી ખીલ્લી લગાવવાનું કામ નહોતું થઈ શક્યું એટલે હાથેથી ખીલ્લીઓ લગાવવામાં આવી હતી
દુરબીનવાળી કેબિનની ચાવી ખોવાઈ ગઈ હોવાથી હિમશીલા દેખાઈ નહોતી
એપ્રિલ 1912માં પોતાની પહેલી જ સફર દરમિયાન તે સમયનું સૌથી વૈભવી, વિશાળકાય અને સુરક્ષિત જહાજ ટાઈટેનિક એક વિશાળ હિમશીલા સાથે અથડાયાં બાદ તેણે એટલાન્ટિક મહાસાગરમા જળ સમાધિ લીધી હતી. આ ઘટનામાં લગભગ 1500 લોકો મર્યાં હતાં. પહેલી વાર તેનાં હિમશીલા સાથે અથડાવા અને તેના સમુદ્રમાં જળ સમાધિનું કારણે એક ડોક્યુમેન્ટ્રીમાં સામે આવ્યું છે. 10 મિસ્ટેક્સ ધેટ્સ સંક ધ ટાઈટેનિક નામની ડૉક્યુમેન્ટ્રીને દુનિયાંનાં જાણીતા વિશેષજ્ઞોએ વર્ષો સુધી રિસર્ચ કર્યાં બાદ તૈયાર કરી છે. ડૉક્યુમેન્ટ્રીમાં દર્શાવવામાં આવ્યું છે કે જહાજનો રસ્તો જોવા માટે જે અધિકારીઓને નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. તેમનાંથી તે રુમની ચાવી ગુમ થઈ ગઈ હતી. જેમાં દુરબીન રાખ્યું હતું. આવી જ ચૌંકાવનારી 10 ભૂલોનાં કારણે વિશાળકાય જહાજ સમુદ્રમાં સમાઈ ગયું અને દુનિયાની સામે એક મોટી મુશ્કેલી મુકી ગયું છે.
બારીઓ ખોલવાથી પણ મોટું નુકશાન થયું
ટાઈટેનિ જહાજ રોકાવાની સાથે જ પ્રવાસીઓ હેરાન થઈ ગયાં હતાં. તે તેમની નજીકની નાની બારીઓ ખોલીને જોવા લાગ્યાં હતાં કે શું થયું છે. જ્યારે કે પ્રવાસીઓને જહાજની છત પર જવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ એવું ન થયું. જહાજ પર સવાર લોકો લાફઈ બોટ પર જતા પહેલાં 12 બારીઓ ખુલ્લી રાખીને જતા રહ્યાં હતાં. જેનાં કારણે જહાજમાં ઝડપથી પાણી ભરાઈ ગયું હતું. ટાઈટેનિકમાં આવી સેંકડો બારીઓ હતી.
મશીનોથી ખીલ્લી લગાવવાનું કામ નહોતું થઈ શક્યું
ટાઈટેનિકનો આગળનો ભાગ એટલો મોટો હતો કે તેમાં ખિલ્લી લગાવવાનું કામ હાથેથી કરવું પડ્યું હતું. જહાજમાં 30 લાખ ખીલ્લીઓ લાગેલી હતી. સારી ક્વોલિટીની ખીલ્લી લગાવવા માટે હાઈડ્રોલિક મશીનની જરુર હોય છે, પરંતુ અહીં આમ કરવું સંભવ નહોતું. જેથી અહીં મેન્યુઅલી જ આ ખીલ્લી લગાવવાનું કામ કરવામાં આવી રહ્યું હતું. જેનાં કારણે તેની ગુણવત્તાં ઓછી થઈ રહી હતી. એવામાં હિમશીલા સાથે અથડાતા જ જહાજનો આ ભાગ ઈજાગ્રસ્ત થયો હતો અને આ ભાગ તુટવાથી તેમાં પાણી ભરાઈ ગયું.
દુરબીનવાળી કેબિનની ચાવી નહોતી
ડૉક્યુમેન્ટ્રીમાં જણાવ્યાંનું સાર, ટાઈટેનિક એટલા માટે ડુબ્યુ કેમ કે તે સમયે ડ્યુટી પર હાજર અધિકારીઓ પાસે તે કેબિનની ચાવી નહોતી. જેમાં દુરબીન રાખવામાં આવ્યું હતું. જેનાં કારણે આગળ રહેલા હિમશીલાને જોઈ શકાયું નહોતું. હિમશીલા દેખાયાનાં 30 સેકન્ડ પછી ટાઈટેનિક સાથે તેની સાથે અથડાયી ગયું હતું. જહાજને ડુબતા 2 કલાક અને 40 મિનિટ લાગ્યાં હતાં. ટાઈટેનિક જ્યારે ડુબ્યું ત્યારે તે તેની સફરનો ચૌથો દિવસ હતો. આ એ સમયનું સૌથી મોટું જહાજ હતું. જેની લંબાઈ 882 ફીટ હતી. 18 નૉટથી વધારે ઝડપી હતી.
ધીમી ગતિથી આફતથી બચી શકયાં હોત
ડૉક્યુમેન્ટ્રીમાં જણાવવામાં આવ્યું છે કે 17 એપ્રિલે ન્યૂયૉર્ક પહોચવા માટે ટાઈટેનિકને ઓન એનએવરેજ 18 નૉટથી વધારે સ્પીડથી ચાલવું પડ્યું હતું. ધીમી ગતિથી આફતથી બચી શકયાં હોત. ટાઈટેનિકનાં કેપ્ટન એડવર્ડને સ્પીડમાં જહાજ ચલાવનાર તરીકે ઓળખવામાં આવતાં હતાં. લોકો તેમની સાથે પ્રવાસ કરવો પસંદ કરતાં હતાં. તે લોકોને બને તેટલું જલ્દી પોતાની મુકામે પહોંચાડવાનો પ્રયાસ કરતાં હતાં. ટાઈટેનિકમાં સવાર પ્રવાસીઓ પણ ન્યૂયૉર્ક જલ્દી પહોંચાડવા માંગતા હતાં. તેમને ખ્યાલ હતો કે કેપ્ટન સ્મિથ તેમને યોગ્ય સમયે ત્યાં પહોંચાડી દેશે.