આ દિવસોમાં ચાર ધામની યાત્રા પર હજારો યાત્રાળુઓ દૈનિક સફર પર આવતા હોય છે. ત્યારે આજે આપણે બદ્રીનાથ ધામમાં આવેલ એક અજાયબી અને ચમત્કારી શીલા વિશે વાત કરીશું.
બદ્રીનાથ ધામમાં નારાયણ પર્વત પાસે 'બામણી' નામના ગામમાં 'લીલાડુંગી' નામનું સ્થાન છે. લોકવાયકા મુજબ અહીં સ્થિત શીલા પર ભગવાન નારાયણે જન્મ લીધો હતો. આ સ્થાન પર પુજા-અર્ચના કરવામાં આવે છે પણ અહીં મંદિર ન હોવાના કારણે શ્રદ્ધાળુઓ આ સ્થાનથી અજાણ છે.
આ સમસ્યાને જોતા હવે શ્રદ્ધાળુઓએ 'લીલાડુંગી'માં મંદિર બનાવવાની પહેલ કરી છે. જોકે હજુ તેમનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ગામની પવિત્ર ધરતી પર મંદિર બનશે તેવી અનુમતિ ગામ લોકો જોડેથી લેવામાં આવી છે.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે 'લીલાડુંગી'ની ધાર્મિક માન્યતાઓ અનુસાર અહીં ભગવાન નારાયણ બાળકનું રૂપ ધારણ કરી શીલા ઉપર બેસી જોર-જોરથી રોવા લાગ્યા હતા. જે દરમિયાન ભગવાન શંકર અને માતા પાર્વતી અહીંથી પસાર થઇ રહ્યા હતા અને બાળકનો રોવાનો અવાજ સાંભળી માતા પાર્વતીએ ભગવાન શંકરને મનાવી આ બાળકને ગોદ લઇ ઘરે લઇ ગયા.
ત્યારબાદ ભગવાન શંકર અને માતા પાર્વતી જયારે ઘરે પરત ફર્યા ત્યારે મંદિરનો દરવાજો અંદરથી બંધ હતો. 'સ્કંદ પુરાણ'ના કેદારખંડમાં ઉલ્લેખ છે કે ત્યારબાદ ભગવન શંકર અને માતા પાર્વતીને પોતાનું નિવાસસ્થાન કેદારનાથમાં બનાવવું પડ્યું.