મધ્યપ્રદેશ સરકાર દ્વારા માસ્કના નિયમને લઈ મોટું નિવેદન આપવામાં આવ્યનું છે. જેમા ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ એવું કહ્યું કે જે લોકો એમપીમાં માસ્કના નિયમોનો ભંગ કરશે તેમના માટે ઓપન જેલ બનાવામાં આવશે.
મધ્યપ્રદેશના ગૃહમંત્રીએ કર્યું મોટું એલાન
કોરોના પ્રોટોકોલ તોડનાર સામે લેવાશે કડક પગલા
માસ્કનો નિયમ તોડનારા માટે બનાવશે ઓપન જેલ
મધ્યપ્રદેશમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા દ્વારા કડક ચેતવણી આપવામાં આવી છે. ગૃહમંત્રી દ્વારા કહેવામાં આવ્યું કે જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તે ચિંતાનો પ્રશ્ન છે જોકે લોકડાઉન કે બજારો બંધ કરાવાનો હાલ કોઈ શક્યતા છે. પરંતુ જે લોકો કોરોના પ્રોટોકોલનું ઉલ્લંઘન કરી રહ્યા છે તેમને કડક ચેતવણી આપવામાં આવી છે.
ઓપન જેલ બનાવાની વાત
ગૃહમંત્રી દ્વારા કહેવામાં આવ્યું કે જે લોકો બજારોમાં ફરતી વખતે માસ્ક નથી પહેરતા તેવા લોકો માટે એમપી સરકાર દંડ ડબલ વસૂલવાનુ વિચારી રહી છે. ગૃહ વિભાગ પાસે હજુ સુધી લોકડાઉન કરવાનો કે પછી બજાર બંધ કરવાનો હજુ સુધી કોઈ પ્રસ્તાવ મુકવામાં નથી આવ્યો પરંતુ જે લોકો માસ્ક નથી પહેરી રહ્યા તેમની પાસે દંડ ડબલ લેવાની તેમજ ખુલી જેલ સ્થાપિત કરાવનું વિચારી રહ્યા છે.
કોરોના પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ
આપને જણાવી દઈએ કે એમપી સરકાર દ્વારા માસ્ક ન પહેરવા પર 200 રૂપિયાનો દંડ રાખવામાં આવ્યો છે. આપ ગૃહમંત્રી દ્વારા ખુલ્લી જેલની વાત પણ એવા સમયે કરવામાં આવી છે જ્યારે મધ્યપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 1033 કેસ નોંધાયા છે. જે એકજ દિવસમાં બે ગણા કેસ છે. પરંતુ સરકાર દ્વારા લોકોને એવુજ કહેવામાં આવ્યું કે કોઈ ગભરાશો નહી અને કોરોના પ્રોટોકોલનું પાલન કરો.
વકરતા કોરોનાને કારણે લોકોમાં ભયનો માહોલ
ઉલ્લેખનીય છે કે દેશમાં દિવસેને દિવસે કોરોનાના કેસ હવે વધી રહ્યા છે જે એક ચિંતાનો વિષય બન્યો છે. તેમા પણ હવે દેશમાં ઠેર ઠેર ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જેમા ખાસ કરીને મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કોરોનાના કેસ સૌથી વધારે નોંધાયા છે.