પોલીસ સાથે દલીલ કર્યા બાદ મૃતક યુવતીના માતા અને ભાઈએ પણ જિલ્લા માંજીસ્ત્રેતને અપીલ કરી હતી કે એકવાર યુવતીના સાહબને ઘરે લઈ જવા દેવાની પરમિશન આપવામાં આવે પરંતુ છતાં પણ પોલીસે તેનું ધાર્યું કરીને મૃતક યુવતીના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા.
હાથરસ પોલીસે બળજબરીથી દુષ્કર્મ પીડિતાનો કર્યો અંતિમ સંસ્કાર
ભારે વિરોધ વચ્ચે પોલીસે બપોરે 2.30 વાગ્યે અંતિમ સંસ્કાર કર્યા
મહિલાઓ એમ્બ્યુલન્સ બોનેટ પર ચડી તો પોલીસે પરિવારને મકાનમાં પૂરી દીધો
ઉત્તર પ્રદેશ ના હાથરસમાં સામૂહિક દુષ્કર્મ પીડિતાના અંતિમ સંસ્કાર ને રોકવા માટે પરિવારના સભ્યોએ લાખો પ્રયાસ કર્યા હતા, પરંતુ પોલીસે કોઈની વાત સાંભળી નહીં. મૃતકની માતા એમ્બ્યુલન્સ ની સામે રોડ પર રડતી રડતી તેમણે આજીજી કરી રહી હતી. તે કહેતી રહી કે એકવાર દીકરીનું મોં બતાવો, પણ કોઈએ તેની વાત સાંભળી નહીં.
..अधिकार छीना और मृतका को सम्मान तक नहीं दिया।
घोर अमानवीयता। आपने अपराध रोका नहीं बल्कि अपराधियों की तरह व्यवहार किया।अत्याचार रोका नहीं, एक मासूम बच्ची और उसके परिवार पर दुगना अत्याचार किया।@myogiadityanath इस्तीफा दो। आपके शासन में न्याय नहीं, सिर्फ अन्याय का बोलबाला है।
ગામની અન્ય મહિલાઓ પણ એમ્બ્યુલન્સના બોનેટ ઉપર ચડી ગઈ હતી, પરંતુ ટીમ ફોર્સ સાથે પહોંચેલી પોલીસે તેમને હટાવ્યા અને મૃતકના અંતિમ સંસ્કાર કરી નાખ્યા. મહિલાઓ વિનંતી કરતી રહી કે મૃતદેહ તેઓને સોંપવામાં આવશે જેથી તેઓ તેને છેલ્લા સમય માટે ઘરે લઈ જાય,પરંતુ પોલીસે તેમની વાતને ધરાર ન માનીને અંતે પોતાનું જ ધાર્યું કર્યું હતું.
માતા અને અન્ય મહિલાઓ એમ્બ્યુલન્સ બોનેટની આગળ પોક મૂકીને રડી રહી હતી અને પોલીસ ને વિનવી રહી હતી કે તેમની દીકરી હવે જીવતી તો ઘરે પછી આવવાની નથી પરંતુ તેઓ તેમની દીકરીના શબને એક વાર ઘરે લઈ જવા માંગે છે અને ત્યાંથી તેની વિદાય કરવા માંગે છે. મૃતક ની માતાએ એમ્બ્યુલન્સ ની સામે રસ્તા પર બૂમરાણ મચાવી હતી. માતા તેની પુત્રીનો ચહેરો જોવાની પણ માંગણી કરી રહી હતી પરંતુ પોલીસે તેમ પણ કરવા દીધું નહોતું. પોલીસે ન તો મૃતદેહ આપ્યો, ન તો તેને ઘરે લઈ જવાની મંજૂરી આપી ન તો તેને જોવાની છૂટ આપી.
જિલ્લા મજીસ્ટ્રેટ પાસે માંગી હતી મંજૂરી
પોલીસ સાથે દલીલ કર્યા બાદ મૃતક મહિલાના પિતા અને ભાઈએ પણ એકવાર મૃતદેહ ને ઘરે લઈ જવાની મંજૂરી આપવા જિલ્લા મેજિસ્ટ્રેટ ને અપીલ કરી હતી. તેઓએ અપીલ કરી હતી કે તેમની વચ્ચે મધ્યરાત્રિના અંતિમ સંસ્કારની પરંપરા નથી, તે સવારે કરવામાં આવશે, પરંતુ એક પણ વહીવટી અધિકારી તેમની સાથે સહમત થયા નહોતા.
ગામમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ગામલોકોનો વિરોધ જોઈને પોલીસકર્મીઓએ સ્કૂટ કરી ડેડબોડીનું અંતિમ સંસ્કાર કર્યું હતું. આરોપ છે કે આ દરમિયાન પીડિતા ના પરિવારને પોલીસે મકાનમાં બંધ કરી દીધો હતો. વિરોધ વચ્ચે પોલીસ એમ્બ્યુલન્સને સીધી સ્મશાનભૂમિ પર લઈ ગઈ હતી અને લગભગ 2.30 વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશ સરકાર ઉપર કર્યા આકરા પ્રહાર
આ બાબત ને લઈને પ્રિયંકા ગાંધી વાડ્રા એ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપર ખૂબ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ટ્વિટમાં કહ્યું હતું કે પીડિતાના શરીરને પ્રશાસન દ્વારા જ દાહ સંસ્કાર અપાયો હતો . જય સુધી તે જીવિત હતી સરકારએ તેને સુરક્ષા આપી નહોતી, અને હવે મૃત્યુ પછી પણ તેને સમ્માન નથી મળ્યું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તમે રાજીનામું આપો, તમારા શાસનમાં માત્ર ન્યાય નહીં અન્યાય ની જ બોલબાલા છે.