ગુપ્તેશ્વર પાંડે એ મહારાષ્ટ્ર ને લઈને જે પણ રાજકીય ઘમાસાણ આદરી હતી, તેની પાછળ શું એજન્ડા હતો તે હવે જાહેર થઈ ગયું છે. સંજય રાઉત એ આગળ કહ્યું હતું કે ગુપ્તેશ્વર પાંડે એ પોતાના નિવેદનોથી એક રાજકીય એજન્ડા સેટ કરી લીધો છે. જેના બદલામાં તેમને તેનો રાજકીય પુરસ્કાર મળ્યો છે.
બિહારના DGP ગુપ્તેશ્વર પાંડે એ આપ્યું પડ પરથી રાજીનામું
મહારાષ્ટ્રની સામે જે રાજકીય તાંડવ ઉભું કરેલું તેનું ઇનામ મળશે: સંજય
બિહારના DGP ગુપ્તેશ્વર પાંડે એ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જેના પછી રાજનીતિક ગલિયારાઓમાં ચર્ચાઓનું બજાર ગરમ છે કે તેઓ રાજકારણમાં જોડાશે. સૂત્રોનું કહેવું છે કે તેઓ આગામી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બક્સરથી ભાજપના ઉમેદવાર હોઈ શકે છે. આ વાતને લઈને શિવસેના સાંસદ સંજય રાઉત એ ગુપ્તેશ્વર પાંડે પર નિશાન સાધ્યું છે.
The party which makes him a candidate, will not be trusted by the people. The agenda behind his 'rajkiya taandav' over Maharashtra is clear now. He was running a political agenda with his statements over Mumbai case and he is going to receive his reward: Sanjay Raut, Shiv Sena https://t.co/uicpJsepQbpic.twitter.com/MEeG9jw0Kc
ગુપ્તેશ્વર પાંડે નો એજન્ડા થઈ ચૂક્યો છે જાહેર : સંજય રાઉત
ગુપ્તેશ્વર પાંડે એ મહારાષ્ટ્ર ને લઈને જે રાજકીય તાંડવ ઊભું કર્યું હતું તેની પાછળનો હવે તેમનો એજન્ડા જાહેર થઈ ચૂક્યો છે. સંજય રાઉત એ આગળ કહ્યું હતું કે ગુપ્તેશ્વર પાંડે પોતાના નિવેદનોથી એક રાજકીય એજન્ડા ચલાવી રહ્યા હતા, જે કામના બદલે હવે તેમને તેનો પુરસ્કાર મળશે.
મેં હજુ સુધી કોઈ પાર્ટી જોઈન કરી નથી : ગુપ્તેશ્વર પાંડે
જો કે બીજી બાજુ નોકરીમાંથી રાજીનામું આપવા પર પ્રતિક્રિયા આપતા ગુપ્તેશ્વર પાંડે એ કહ્યું હતું કે મેં હજુ સુધી કોઈ રાજનીતિક પાર્ટીને જોઇન કરી નથી, અને આ વિષય ઉપર હજુ સુધી નિર્ણય પણ લીધો નથી. જય સુધી સામાજિક કાર્યોની વાત છે ત્યાં સુધી હું આ કામ રાજનીતિમાં જોડાયા વગર પણ કરી શકું છું કેમ કે હવે હું બ્યુરોક્રસીના નિયમોથી આઝાદ છું.
સુશાંત સિંહ રાજપૂત મામલે આવ્યા હતા ચર્ચામાં
નોંધનીય છે કે ગુપ્તેશ્વર પાંડે હાલમાં બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ની મોતના મામલામાં મહારાષ્ટ્રની શિવસેના સરકાર ના બિહાર સરકાર પર પ્રહારોને લઈને નીતીશ કુમાર સરકારના બચાવમાં આપેલા નિવેદનોને લઈને ચર્ચામાં રહ્યાં હતા. ગુપ્તેશ્વર પાંડે એ આની પહેલા પણ 2009 માં લોકસભા ચૂંટણી લડવાને માટે રાજીનામું ધરી દીધું હતું જો કે બિહાર સરકારે તેને સ્વીકાર નહિ કરતા તેમને ફરીથી નિયુક્તિ આપવામાં આવી હતી.