ભારતના રમણિય સ્થળોમાના એક શહેર કેરળમાં સદીનું સૌથી ભયાનક પૂર આવ્યું હતું. પૂરની તબાહીમાં 400થી વધુ જીંદગીઓ તણાઈ ગઈ હતી અને હજુ અનેક જિંદગીઓ વિખૂટી પડી છે.
તમામ બચાવ દળો દ્વારા સદીનું સૌથી મોટું ઓપરેશન હાથ ધરાયું હતું અને લાખો લોકોના જીવ બચાવ્યા હતા. હવે સમય છે કેરળને મદદ કરીને ફરીથી એજ રફતારમાં લાવવાનો. દેશ વિદેશમાંથી કેરળને કરોડોની સહાય કરાઈ રહી છે. ત્યારે જોઈએ કેરળમાં આવેલા કોહરામનો અહેવાલ.
કેરળના લોકોએ ગત સૌ વર્ષમાં આવો પાણીનો પ્રકોપ નહીં જોયો હોય. ચોમાસુ શરૂ થતાં જ કેરળમાં પ્રવાસીઓનું પૂર ઉમટ્યુ હતું. એજ કેરળમાં હાલ ચારેતરફ તૂટેલા મકાનો અને છૂટા પડી ગયેલા લોકો નજરે પડી રહ્યા છે.
ભારે વરસાદના કારણે અનેક લોકો બેધર થયા છે અને અનેક લોકોએ પોતાના સગા સંબંધિઓને ગુમાવ્યા છે. ચોમાસાની શરૂઆતના સાથે જ દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડયો હતો પરંતું કેરળમાં 8 ઓગસ્ટ પછી પરિસ્થિતિ વણસી હતી.
અનેક ઘરો હાલ પાણીમાં ગરકાવ નજરે પડી રહ્ય છે અને લોકો ધાબાની છત પર જીવન જરૂરિયાતની વસ્તુંઓની મદદની રાહ જોતા નજરે પડી રહ્યા છે. આ કપરા સમયમાં સેના નેવી કોસ્ટર્ગર્ડ NDRFની ટીમો સ્થાનિક પ્રશાસનની મદદે આવ્યા છે અને દિવસ રાત કામ કરી રહી છે.
6 લાખથી વધારે લોકોને રાહત કેમ્પમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે હજારો લોકો હાલ પણ પૂરના પ્રકોપમાં ફસાયેલા છે. કિડ્ડુકી જિલ્લામાં જાનમાલનું વધારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. મલાપુરમમાં પણ ભારે નુકસાન થયું છે.
જોકે હવે વરસાદ બંધ થતાં લોકોએ રાહતો શ્વાસ લીધો હતો અને હવે તંત્ર સામે મહામારીનો સૌથી મોટો પડકાર છે. કારણ કે પૂરના પાણીના કારણે ગંદકી ચારે તરફ ફેલાયેલી હશે અને જો સાવધાની રાખવામાં નહી આવે તો રોગચાળો ફાટી નિકળશે.
ભારે વરસાદ અને પૂરના કારણે આશરે 20 હજાર કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજો છે અને આ નુકસાનની ભરપાઈ કરવા માટે દેશમાંથી અને વિદેશમાંથી મદદ મળવાની શરૂ થઈ છે. યુએઈ દ્વારા કેરળને આશરે 700 કરોડની સહાય કરવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો.