પ્રસિદ્ધ ખજરાના ગણેશ મંદિર પરિસરમાં દુનિયાની સૌથી મોંઘી પ્રસાદની દુકાન બની છે. ખજરાના ગણેશ મંદિરમાં ઓક્ટોબરમાં IDAએ દુકાનને લઈ ટેન્ડર જાહેર કર્યું હતું.
ઈન્દોરમાં આવેલી છે વિશ્વની સૌથી મોંઘી પ્રસાદની દુકાન
દુકાનના ભાવ સાંભળીનેરિયલ એસ્ટેટના કારોબારીઓ પણ દંગ
ખજરાના ગણેશ મંદિરમાં IDAએ ટેન્ડર જાહેર કર્યું
મિનિ મુંબઈ કહેવાતા ઈન્દોર શહેરમાં આમ તો જમીનોની કિંમત ખૂબ જ વધારે છે. જ્યારે ઈન્દોર શહેરમાં રિયલ એસ્ટેટનો મોટો કારોબાર માનવામાં આવે છે. મધ્યપ્રદેશની આર્થિક રાજધાની કહેવાતુ ઈન્દોર શહેર હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે એક પ્રસાદની દુકાનને લઈ સમગ્ર ભારતમાં ઈન્દોર શહેર ફરી એક વખત ચર્ચામાં છે. ખજરાના ગણેશ મંદિર પરિસરમાં એક પ્રસાદની દુકાનની હરાજીમાં દુકાનના ભાવ સાંભળીને મોટા મોટા રિયલ એસ્ટેટના કારોબારીઓ પણ દંગ રહી ગયા છે. 70 વર્ગ ફુટની પ્રસાદની દુકાનની હરાજી આશરે 1 કરોડ 72 લાખ રુપિયા નક્કી થઈ હતી.
દુનિયાની સૌથી મોંઘી પ્રસાદની દુકાન બની
પ્રસિદ્ધ ખજરાના ગણેશ મંદિર પરિસરમાં દુનિયાની સૌથી મોંઘી પ્રસાદની દુકાન ખુલી છે. ખજરાના ગણેશ મંદિરમાં ઓક્ટોબરમાં આઈડીએએ દુકાનને લઈ ટેન્ડર જાહેર કર્યું હતું. જેમાં ઘણા લોકોએ ટેન્ડર ભર્યું હતું, પરંતુ 70 વર્ગ ફુટની પ્રસાદની દુકાનની હરાજી આશરે 1 કરોડ 72 લાખ રુપિયા નક્કી થઈ હતી.
ઈન્દોર કોમર્શિયલ પ્રોપર્ટીના મામલે નંબર 1
આ ટેન્ડરમાં લગાવવામાં આવેલી રકમ વેપારીને એક મહિનાની અંદર આપવાનો સમય આપવામાં આવ્યો છે. આ રકમ ખજરાના ગણશે પ્રબંધ સમિતિમાં જમા થશે, જેનાથી મંદિરનો વધુ વિસ્તાર કરી શકાશે. આ સાથે જ ઈન્દોર કોમર્શિયલ પ્રોપર્ટીના મામલે નંબર વન બની ગયું છે. આ સાથે જ આ પ્રસાદની દુકાન વિશ્વની સૌથી વધુ કિંમતવાળી દુકાન બની ગઈ છે.
દુકાન માલિકે ગણેશજીનો માન્યો આભાર
દુકાનના માલિક દીપક રાઠોડનું કહેવું છે કે આ દુનિયાની સૌથી મોંઘી દુકાન છે. હમે ગણેશ ભગવાનનો આભાર માનીએ છીએ. આજે જે પણ છીએ, આ તેમની દેન છે અને આ દુકાન પણ તેમના કારણે મળી છે. તેમણે કહ્યું અહીં 25થી 30 વર્ષથી પ્રસાદની દુકાન ચલાવે છે. અહીં પ્રસાદ વહેંચવાની આશરે 60 દુકાનો છે.
108 લોકોએ ભર્યા ફોર્મ, 7 થયા સિલેક્ટ
દુકાનનું ટેન્ડર મળ્યા બાદ ઈન્દોરના દીપક રાઠોડ દુનિયાની સૌથી મોંઘી પ્રસાદની દુકાનના માલિક બની ગયા છે. ઓક્ટોબરમાં દુકાનના ટેન્ડર જાહેર થયા હતા, જેમાં 108 લોકોએ ફોર્મ ભર્યા હતા. દીપકે જણાવ્યું કે તેમાંથી માત્ર 7 ફોર્મ જ સિલેક્ટ થયા હતા, જેમાં ભગવાન ગણેશની કૃપાથી આ દુકાન મને મળી છે.
કલેક્ટરના આદેશ પર હરાજીની પ્રક્રિયા આગળ વધી
આ દુકાન લાંબા સમયથી બંધ હતી. દુકાન નંબર 1-એ અને 20-એ ને વેચવાની હતી. ઓક્ટોબર 22 માં મંદિર સમિતિના અધ્યક્ષ કલેક્ટર મનીષ સિંહના નિર્દેશ પર આ બંને દુકાનોની હરાજી પ્રક્રિયા આગળ વધી હતી. ઈન્દોર ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા તેની હરાજીની પ્રક્રિયા કરવામાં આવી હતી.
મૂળ કિંમત 30 લાખ રૂપિયા
ઈન્દોર ડેવલપમેન્ટ ઓથોરિટીના માધ્યમથી ટેન્ડર જાહેર કરાયું હતું. 36 અને 69.53 વર્ગફૂટની દુકાનો માટે 30 લાખની મૂળ કિંમત રાખવામાં આવી હતી, જ્યારે આઈડીએ દ્વારા ટેન્ડર ખોલવામાં આવ્યા તો 69.53 વર્ગફૂટની દુકાનનું ટેન્ડર જોઈ પ્રશાસન અને આઈડીએના અધિકારીઓ દંગ રહી ગયા હતા.
વેપારી દેવેંદ્ર રાઠોડ તરફથી સૌથી વધારે રકમ 1 કરોડ 72 લાખ રુપિયા 69.53 વર્ગફુટની દુકાન માટે લગાવવામાં આવ્યા હતા. આ દુકાનની કિંમત આશરે 2.47 લાખ રુપિયા પ્રતિ વર્ગફુટ આવી છે. આ મંદિર પરિસરમાં દરેક દુકાનનો રોજનો ગલ્લો આશરે 15થી 20 હજાર રુપિયા છે.