અમાસ સોમવારના દિવસે આવે છે, તો તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં સોમવતી અમાસને ખૂબ જ શુભ માનવામાં આવી છે.
સોમવતી અમાસના દિવસે વ્રત અને ગંગા સ્નાનનું વિશેષ મહત્વ
મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે રાખે છે વ્રત
પિતૃદોષ નિવારણ માટે આ દિવસ ખૂબ જ લાભદાયી મનાય છે
પિતૃદોષ નિવારણ માટે આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ
સોમવતી અમાસના દિવસે વ્રત, પૂજન અને ગંગા સ્નાનનું વિશેષ મહત્વ છે. મહિલાઓ આ દિવસે પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. તો પિતૃદોષ નિવારણ માટે આ દિવસ ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. આ વખતે માઘ માસની અમાવસ્યા તિથિ 31 જાન્યુઆરી, બપોરે 2.18 મિનિટે શરૂ થશે અને 1 ફેબ્રુઆરીએ મંગળવારે સવારે 11.16 મિનિટ સુધી રહેશે. આ વર્ષ 2022ની પહેલી સોમવતી અમાસ છે. માઘ માસમાં પડવાને કારણે તેને માઘી અમાવસ્યા અથવા મૌની અમાવસ્યા કહેવામાં આવે છે.
મૌની અમાવસ્યા ખૂબ જ પુણ્યશાળી
મૌની અમાવસ્યાને ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવી છે. સોમવારના દિવસે મૌની અમાવસ્યાનો સંયોગ હોવાથી આ અમાસનું મહત્વ ઘણુ વધારે વધી જાય છે. જો કે, ગંગા સ્નાન માટે મંગળવારનો દિવસ ઉત્તમ રહેશે. પરંતુ સોમવારના દિવસે તમે પિતૃઓ માટે થોડુ વિશેષ કાર્ય જરૂર કરી શકો છો.
પૂજા કરવાથી પિતૃઓ થશે પ્રસન્ન
સોમવતી અમાવસ્યાના દિવસે પિતૃઓ માટે પાણીમાં તલ નાખીને દક્ષિણ દિશા તરફ તર્પણ કરો. અમાસની તિથિ પિતૃઓ માટે સમર્પિત હોય છે. આવુ કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે અને તેઓ પ્રસન્ન થઇને આશીર્વાદ આપે છે.
પીપડાના વૃક્ષનું પૂજન કરો અને પીળા રંગના પવિત્ર દોરાથી 108 વખત પરિક્રમા કરો. પીપળાની નીચે એક દીવો પ્રગટાવો. જેનાથી તમને પિતૃઓની કૃપા પ્રાપ્ત થશે અને તમારા પરિવારમાં ખુશી આવશે.
આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. પૂજા કરતા પહેલા પોતાની પર ગંગાજળનો છંટકાવ કરો. જો તમે આ દિવસે પિતૃઓના નિમિત્તે ગીતાના સાતમા અધ્યાયનું વાંચન કરશો તો તેનાથી તમારા દુ:ખ દૂર થશે અને પિતૃ પ્રસન્ન થશે.