અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે દાન એકત્રિત કરવાનું અભિયાન ચાલી રહ્યું છે એવામાં ઋષિકેષના એક સાધુએ મંદિર માટે મહાદાન કર્યું છે.
60 વર્ષથી ગુફામાં રહેતા સાધુએ રામમંદિર માટે આપ્યું મહાદાન
રકમ એટલી મોટી કે બેઁકવાળા પણ ચોંકી ગયા
ગુપ્ત રાખવા માંગતા હતા આ દાન પરંતુ પ્રેરણા માટે કર્યું નામ જાહેર
60વર્ષથી ગુફામાં રહેતા 83 વર્ષના સંત સ્વામી શંકરદાસે અયોધ્યાના રામમંદિરને આપેલા આ મહાદાનથી લોકો ચોંકી ઉઠયા છે. બેઁકવાળાને જ્યારે આ ચેક મળ્યો તો તેમને પણ વિશ્વાસ નહોતો થતો પરંતુ જ્યારે તેમનું બેઁક એકાઉન્ટ ચૅક કરવામાં આવ્યું ત્યારે તેમને ખાતરી થઇ કે આ ચૅક સાચો છે. આવો જાણીએ કે એવી તો કેટલી મોટી રકમ હશે કે લોકોને અચંબામાં મૂકી દીધાં.
કોણ છે આ સાધુ
મહાદાન આપનારા આ સાધુનું નામ સંત સ્વામી શંકરદાસ છે. તેઓ 83 વર્ષના છે અને છેલ્લા 60 વર્ષથી ઋષિકેશની એક ગુફામાં પોતાનું જીવન વિતાવી રહ્યા છે. ત્યાંના સ્થાનિક લોકો આ સાધુને 'ફક્કડ બાબા'ના નામે ઓળખે છે. તેમણે જણાવ્યું હતું કે તેમના ગુરુ ટાટવાળા બાબાની ગુફામાં જે અનુદાન આવે છે તેમાંથી તેમણે આ દાનની રકમ એકઠી કરી છે. આ દાનમાંથી જ તેમનો જીવન નિર્વાહ ચાલે છે.
રકમ જાણી બેઁકના કર્મચારીઓને કેમ લાગ્યો ઝટકો ?
મહત્વનું છે કે, સંત સ્વામી શંકરદાસ નામના આ સાધુએ રામમંદિર નિર્માણ માટે એક બે લાખ નહી પરંતુ પુરા એક કરોડ રૂપિયાનો ચેક આપ્યો છે. જ્યારે તેમણે બુધવારે બેઁક ઓફ ઇન્ડિયાની મેઈન બ્રાન્ચમાં 1 કરોડ રૂપિયાનો ચેક આપ્યો ત્યારે બેઁકના બધા જ કર્મચારી તે જોઈને આશ્ચર્યચકિત થઇ ગયા. ત્યારબાદ બેઁકના કર્મચારીઓએ તેમનું બેઁક એકાઉન્ટ ચેક કરતા માલુમ પડ્યું કે આ ચેક ખરેખર સાચો છે ફેક નથી. ત્યારપછી આગળની પ્રક્રિયા પૂરી કરવા માટે બેઁક કર્મચારીએ RSSના પદાધિકારીઓને બોલાવ્યા.
શું કહે છે RSSના પદાધિકારી
RSSના પ્રમુખ સુદામા સિંઘલ જણાવે છે કે, " જેવી અમને આ અંગે સૂચના મળી અમે તરત જ બેઁકમાં પહોંચ્યા. સાધુ સીધેસીધું દાન ન કરી શકે આથી તે ચેક અમને આપવામાં આવ્યો અને અમે તેમને દાનની રસીદ આપી. હવે બેઁક મેનેજર રામ મંદિરના ટ્રસ્ટના એકાઉન્ટમાં આ ચેક જમા કરશે."
સ્વામી સંતદાસનું કહેવું હતું કે તેઓ આ દાન ગુપ્ત રાખવા માંગતા હતા. જો આ દાનની રકમ જાહેર થાય તો લોકોને રામ મંદિર નિર્માણ માટે દાન કરવાની પ્રેરણા મળશે એવા વિચાર સાથે સહમત થઈને તેમણે આ મહાદાન જાહેર કર્યું હતું.