બોલિવુડ એક જમાનાના જાણીતા સિંગર અભિજીત ભટ્ટાચાર્યની અવાજનો જાદુ ભલે છેલ્લા કેટલાક વર્ષોથી ફિલ્મમાં ન સંભળાયો હતો પરંતુ તેનો અવાજ આજે પણ સદાબહાર છે. અભિજીતે એક ઇન્ટવ્યૂમાં વાતચીત દરમિયાન જણાવ્યુ કે તેણે ગાયેલા ગીતોથી જ શાહરૂખ ખાન સુપરસ્ટાર બન્યો. અભિજીતનું કહેવું છે કે ''શાહરૂખ ત્યાં સુધી જ સુપરસ્ટાર હતો જ્યાં સુધી તેણે તેના માટે ગીતો ગાયા.''
અભિજીતે કહ્યુ કે ''મેં મારા અવાજથી જ તેને સુપરસ્ટાર બનાવ્યો. જ્યાં સુધી તેના માટે ગાતો હતો ત્યાં સુધી તે સુપરસ્ટાર હતો. જ્યારે મેં તેના માટે ગાવાનું બંધ કરી ત્યારે તે લુંગી ડાન્સ પર આવી ગયો.'' અભિજીતે એ વાત પરથી પડદો હટાવ્યો કે આખરે તેણે કયા કારણોસર શાહરૂખ ખાન માટે ગાવાનું બંધ કરી દીધું? તેણે કહ્યુ કે શાહરૂખના ગીતો માટે અવાજ ન આપવાનું એક બહાનું નાનું કારણ છે. ફિલ્મ 'મેં હૂં ના' વખતે સ્પોટબૉયથી લઇને તમામ લોકોને ક્રેડિટ આપવામાં આવી પણ સિંગર્સનું શું?
તેણે આગળ કહ્યુ કે આજ વાત 'ઓમ શાંતિ ઓમ'માં થઇ. ફિલ્મના ગીત 'ધૂમ તાના'માં મેં મારો અવાજ આપ્યો પણ તે ક્યારેય દર્શાવાયું નહી. આ વાતને લીધે મારું આત્મસન્માન ઘવાયું. હું તેને શું કામ કહું કે આ બાબતો સાથે મારું નામ જોડે? અભિજીત માને છે કે તે ભારતીય મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીનો હિસ્સો છે માત્ર બોલિવુડનો નહીં.
ઉલ્લેખનીય છે કે અભિજીતે છેલ્લા ઘણા સમયથી વિવાદોના કારણે ચર્ચામાં છે. ગત વર્ષે ટ્વિટર પર ગાળાગાળી કરવાને કારણે તેમનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવાયું હતુ જ્યારે થોડા સમય પહેલા જ તેમનો પોતાની સોસાયટીની મહિલા સાથે અભદ્દ ભાષાનો ઉપયોગ કરવાનો કિસ્સો સામે આવ્યો હતો.