કોરોના કલમ હાલમાં દેશ બહુ જ મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે મોદી સરકારે આ સંકટ નિવારવા એક માસ્ટર પ્લાન બનાવ્યો છે જેનાથી તેઓ ચીન અને પાકિસ્તાનને મોટું આર્થિક નુકસાન થશે અને મોદી સરકાર ને એક લાખ કરોડ રૂપિયા જેટલી અધધ કમાણી થશે.
આર્થિક તંગી નિવારવા મોદી સરકારનો માસ્ટર પ્લાન
ચીન અને પાકિસ્તાનની પ્રોપર્ટી વેચીને સરકાર કરશે કમાણી
હાલના ચોમાસું સત્રમાં કેન્દ્ર સરકાર લાવી શકે છે નવો કાયદો
દેશમા હાલમાં કુલ 9000થી વધુ એવી સંપત્તિઓ છે જેના માલિકોનો સંબંધ આપણાં દુશ્મન દેશો ખાસ કરીને ચીન અને પાકિસ્તાન સાથે હોય શકે છે. હાલમાં આમાંથી મોટા ભાગની સંપત્તિ ભારત સરકારને હસ્તક છે, ત્યારે કોરોના કાળમાં આવકના નવા સાધનો ઊભા કરવા માટે મોદી સરકારે હાલમાં આ પ્રોપર્ટીઓ તરફ નજર દોડાવી છે. એક અંદાજ પ્રમાણે મોદી સરકારને આ સંપત્તિઓ વેચવાથી અંદાજિત એકાદ લાખ કરોડ રૂપિયાની કમાણી થઈ શકે છે.
પીએમ મોદીને અપાઈ છે નવો કાયદો ઘડવાની સલાહ
પીએમ મોદીને સલાહ આપવામાં આવી છે કે આ પ્રકારની સંપત્તિઓના વેચાણ માટે હાલમાં એક નવા કાયદાની જરૂર છે, ત્યારે સરકારે હાલ ચાલુ થયેલા ચોમાસું સત્રમાં આ પ્રકારનો કાયદો લાવવો જોઈએ. અત્યારે આ સામે કાયદો લાવવા માટે અને આ સંપત્તિઓના વેચાણ માટે આમ બંને હેતુઓ માટે ખૂબ જ ઉપયુક્ત છે.
આવી સંપતિઓના વેચાણ માટે ખાસ કાયદાની જરૂર હોય છે
આવા પ્રકારની સંપત્તિઓના વેચાણ માટે ખાસ પ્રકારના કાયદાની જરૂર પડતી હોય છે, ભારત જો કે આ પ્રકારના કેસમાં તેના દુશ્મન દેશોથી ઘણું પાછળ છે. પાકિસ્તાનમાં ભારતીયોની રહી ગયેલી સંપત્તિઓને 1965 ના યુદ્ધ બાદ જ કબજે કરી લેવામાં આવી હતી અને તેને લગતી વેચાણની કામગીરી 1971 માં જ પૂર્ણ થઈ ચૂકી છે, ત્યારે ભારત આ મામલે તેના દુશ્મન દેશથી અંદાજિત 49 વર્ષ જેટલું પાછળ છે, કેમ કે ભારતમાં તેને લગતો કાયદો બનાવાયો નથી.
આ સંપત્તિ 1947 ના ભારત પાકિસ્તાન ભાગલા બાદ ભારતમાં રહી ગઈ હોવાનો દાવો થઈ રહ્યો છે. આ સંપત્તિઓમાં બધા જ પ્રકારની સ્થાવર અને જંગમ મિલકતોનો સમાવેશ થઈ જકાય છે જે સરકારને હસ્તક આવી ગઈ હોય. આ સંપત્તિઓના વેચાણ માટે મોદી સરકાર આ વર્ષે એક કમિટી નિયુક્ત કરી છે.
કેન્દ્ર દ્વારા આ મામલે 3 જેટલી કમિટીઓ બનાવવામાં આવી છે જેમાં સરકારમાંથી 3 કેબિનેટ મંત્રીઓ નિર્મલા સીતારમણ, અમિત શાહ અને નીતિન ગડકરીને સભ્ય બનાવાયા છે.