એમ્પ્લોય પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) તહેવારોની સીઝન પહેલા કરોડો લોકોના ચહેરા પર ખુશી લાવવા માટે એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે.
દિવાળી પહેલા લોકોના ખાતામાં આવી શકે છે વ્યાજની રકમ
EPFOએ નાણાકીય વર્ષ 2020-21 માટે વ્યાજ ચૂકવવાની માંગી મંજૂરી
PF પર મળતું વ્યાજ અન્ય બચત યોજાનાઓના વ્યાજ કરતા છે વધારે
EPFO દિવાળી પહેલા સભ્યોના ખાતામાં નાણાંકીય વર્ષ 2021-22 માટેનું વ્યાજ ચૂકવી શકે છે. એક અહેવાલ અનુસાર, બે સરકારી અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, આ પ્રથમ વખત હશે જ્યારે સરકારી કર્મચારીઓ અને પેન્શન મેળનારને વધેલા મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની ચુકવણી સાથે, EPFO સભ્યોને પણ પૈસા મળશે. આ પગલું કરોડો કામદાર વર્ગ માટે ખુશી લાવી શકે છે, જેઓ કોવિડને કારણે મહિનાઓ સુધી રોજગાર અને આવકથી વંચિત રહ્યા છે.
નાણાકીય વર્ષ 2020-21 માટે વ્યાજ ચૂકવવાની માંગી મંજૂરી
EPFO ના કેન્દ્રીય બોર્ડે વ્યાજ દરને મજૂરી આપી દીધી છે. હવે ઓર્ગેનાઈઝેશને નાણાં મંત્રાલય પાસેથી મંજૂરી માંગી છે અને અપેક્ષા છે કે મંત્રાલય પણ ટૂંક સમયમાં મંજૂરી આપશે. એક અધિકારીએ જણાવ્યું કે ઓર્ગેનાઈઝેશને નાણાં મંત્રાલય પાસેથી નાણાકીય વર્ષ 2020-21 માટે 8.5 ટકા વ્યાજ દર સાથે વ્યાજ ચૂકવવાની મંજૂરી માંગી છે. જ્યારે વ્યાજ નક્કી કરવામાં આવ્યું ત્યારે, તમામ પરિબળો ધ્યાનમાં લેવામાં આવ્યા અને EPFO 8.5% વ્યાજ ચૂકવવા સક્ષમ છે.
નાણાકીય વર્ષ 2020-21 માટે 8.5% વ્યાજ દરની કરી હતી ભલામણ
એક અન્ય અધિકારીએ કહ્યું કે નાણાં મંત્રાલય પાસેથી મંજૂરી લેવી એ માત્ર એક પ્રોટોકોલનો ભાગ છે. EPFO મંત્રાલયની મંજૂરી વગર વ્યાજ ચૂકવી શકતું નથી. EPFO ને આશા છે કે નાણાં મંત્રાલય પણ તેના બોર્ડના નિર્ણય અને તેની મજબૂત નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં તેની મંજૂરી આપશે. EPFO ના સેન્ટ્રલ બોર્ડે આ વર્ષે માર્ચમાં નાણાકીય વર્ષ 2020-21 માટે 8.5% વ્યાજ દરની ભલામણ કરી હતી. અગાઉના નાણાકીય વર્ષમાં, EPFOએ 70,300 કરોડની કમાણી કરી હતી, જેમાં તેના ઇક્વિટી ઇનવેસ્ટમેંટનો એક હિસ્સો વેચવાથી મળેલા રૂ. 4,000 કરોડનો સમાવેશ થાય છે.
PF પર મળતું વ્યાજ અન્ય બચત યોજાનાઓના વ્યાજ કરતા છે વધારે
રિટાયરમેન્ટ ફંડ બોડીએ તેની સેન્ટ્રલ બોર્ડની બેઠક બાદ કહ્યું હતું કે વ્યાજ દરની ભલામણ ડેપ્ટ ઇનવેસ્ટમેંટમાંથી પ્રાપ્ત થયેલ વ્યાજ અને ઇક્વિટી ઇનવેસ્ટમેંટમાંથી પ્રાપ્ત થયેલી આવકના મિશ્ર પરિણામના આધારે કરવામાં આવી છે. આ EPFO તેના સભ્યોને વધુ રિટર્ન પૂરું પાડવા અને યોગ્ય સરપ્લસ જાળવવા માટે સક્ષમ બનાવે છે. PF પર મળતું 8.5 ટકા વ્યાજ અન્ય બચત યોજાનાઓ જેવી કે જનરલ પ્રોવિડેન્ટ ફંડ ( GPF) અને પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (7.1 ટકા) અને નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (6.8) ટકા કરતા વધારે છે. મહામારી દરમિયાન લાખો લોકોએ EPFO માંથી ભંડોળ ઉપાડ્યું છે. પરંતુ અંતિમ ગણતરી જણાવે છે કે આ ઉપાડથી EPFO ની આવક પર વિપરીત અસર થઈ નથી.
દિવાળી પહેલા સભ્યોના ખાતામાં આવી શકે છે વ્યાજની રકમ
એક અધિકારીએ કહ્યું કે છેલ્લા દોઢ વર્ષ કામદાર વર્ગ માટે ખૂબ જ મુશ્કેલ રહ્યું છે. અમે માનીએ છીએ કે EPF વ્યાજ દર દર મહિને તેમના પગારમાંથી ફરજિયાત કપાત પર એક રિટર્ન છે અને જો તે દિવાળી પહેલા ચૂકવવામાં આવે તો તે ચોક્કસપણે તેમને ખુશ કરશે. EPFO ના 6 કરોડથી વધુ સક્રિય સભ્યો છે અને દર વર્ષે તે તેની વાર્ષિક સંપત્તિનો 15 ટકા ઇક્વિટીમાં અને બાકીના ડેપ્ટ ઈન્સ્ટ્રુમેંટમાં રોકે છે.