રસ્તાની બાજુમાં દુકાનો ઉભા કરીને માલ સામાન વેચતા શેરી ફેરિયાઓ અને સ્ટ્રીટ વેન્ડર લોકોને હવે મોદી સરકાર એક નવી ભેટ આપવા જઈ રહી છે, પીએમ મોદી આવતી કાલે 3 લાખ જેટલા સ્ટ્રીટ વેન્ડર લોકોને લોનનું વિતરણ કરશે, સાથે જ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા તેમની સાથે વાતચીત પણ કરશે.
પીએમ સ્વાનિધિ યોજનામાં મળશે લોન
સ્ટ્રીટ વેન્ડર લોકોને મળશે આર્થિક મદદ
બેરોજગારોને પોતાનો ધંધો બનાવવામાં મળશે મદદ
રસ્તાની બાજુમાં દુકાનો ઉભા કરીને રહેતા શેરી વિક્રેતાઓના જીવનમાં આ યોજનાથી મોટું પરિવર્તન આવી શકે છે. આવતીકાલે પીએમ મોદી સ્ટ્રીટ વેન્ડરની આત્મનિર્ભર નિધિ એટલે કે પીએમ સ્વનિધિ યોજના હેઠળ 3 લાખ શેરી વિક્રેતાઓને લોનનું વિતરણ કરશે. વીડિયો કોન્ફરન્સિંગ થકી તેઓ લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરશે.
નાના સ્ટ્રીટ વેન્ડર લોકોને મળશે મદદ
ઉત્તર પ્રદેશ સરકારને અત્યાર સુધીમાં 557,000 જેટલી અરજીઓ મળી છે, જે સૌથી વધુ છે. લોકડાઉન દરમિયાન અથવા કોરોનાના લીધે જે લોકોના ધંધા રોજગાર પ્રભાવિત થયા છે તેઓ આ લોન થકી પોતાનો વ્યવસાય શરૂ કરી શકશે. આ સાથે, શેરી-વિક્રેતાઓ કોઈ પણ વિલંબ કર્યા વિના ફરીથી પોતાનું કાર્ય શરૂ કરી શકશે.
શું છે પીએમ સ્વાનિધિ યોજના ?
1. આ લોન તે લોકોને આપવામાં આવશે જેઓ રોડ સાઇડ કાર્ટ અથવા ગલી-રોડ પર દુકાન ચલાવે છે
2. આ કેટેગરીમાં ફળ-શાકભાજી, લોન્ડ્રી, સલૂન અને પાન શોપનો પણ સમાવેશ થાય છે.
3. એક અનુમાન મુજબ આ યોજનાથી 50 લાખ શેરી વિક્રેતાઓ અને લોકોને ટ્રેક કરવામાં ફાયદો થશે.
4. આ યોજના હેઠળ, દરેક શેરી વિક્રેતા 10,000 રૂપિયા સુધીની લોન લઈ શકે છે.
5. શેરી વિક્રેતાઓના 1 વર્ષમાં આ રકમ હપ્તામાં પરત આપી શકાય છે.
6. લોનની શરતો ખૂબ સરળ હશે, કોઈ ગેરેંટીની જરૂર રહેશે નહીં.
7. જે લોકો સમયસર લોન ચુકવે છે તેમને 7% વાર્ષિક વ્યાજ સબસિડી પણ આપવામાં આવશે.
8. આ યોજના હેઠળ કોઈ દંડની જોગવાઈ નથી.
શેરી વિક્રેતાઓ માટે શરૂ કરાયેલી આ યોજના માટે સરકારે 5000 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે. આ લોન માટે, મોબાઇલ એપ્લિકેશન અને વેબ પોર્ટલ દ્વારા એપ્લિકેશન કરી શકાય છે. ડિજિટલ ટ્રાંઝેક્શનની રસીદ અથવા ચુકવણી પર પણ માસિક કેશબેક સુવિધા ઉપલબ્ધ થશે.