1 જુલાઇથી સમગ્ર દેશમાં આ વસ્તુઓના ઉત્પાદન, આયાત, સ્ટોકિંગ, વિતરણ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ રહેશે
1 જુલાઇથી મોદી સરકાર દ્વારા મોટો બદલાવ
સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ
કંપનીઓ પ્લાસ્ટિક સ્ટ્રોની સાથે પોતાની પ્રોડક્ટ નહી વહેંચી શકે
સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના જણાવ્યા અનુસાર, 1 જુલાઇથી સમગ્ર દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વસ્તુઓના ઉત્પાદન, આયાત, સ્ટોકિંગ, વિતરણ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. 1 જુલાઇથી આ નિર્ણય લાગુ થાય બાદ કંપનીઓ પ્લાસ્ટિક સ્ટ્રોની સાથે પોતાની પ્રોડક્ટ નહી વહેંચી શકે.
1 જુલાઇથી મોદી સરકાર દ્વારા મોટો બદલાવ
સરકારે આ પ્લાસ્ટિક પર પ્રતિબંધ એટલે લગાવ્યો કે, આ પ્રકારના પ્લાસ્ટિકનો એક્વાર ઉપયોગ કર્યા બાદ તેને ફેંકી દેવામાં આવે છે. જોકે મોટાભાગના પ્લાસ્ટિકને સળગાવી દેવામાં આવે છે કે પછી જમીનની નીચે દાટી દેવામાં આવે છે. જેને કારણે પર્યાવરણને લાંબા સમય સુધી નુકશાન પહોંચે છે. મહત્વનું છે કે, જો પર્યાવરણને નુકશાન થાય તો મનુષ્યને પણ નુકશાન થાય જ. જેને લઈ આ નુકશાન ન થાય તે માટે સરકારે આ મોટો નિર્ણય લીધો છે.
સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ
1 જુલાઇથી આ નિર્ણય લાગુ થાય બાદ કંપનીઓ પ્લાસ્ટિક સ્ટ્રોની સાથે પોતાની પ્રોડક્ટ નહી વહેંચી શકે. એવી ઘણી કંપનીઓ છે જે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધની વિરુદ્ધ છે. નોંધનિય છે કે, વિશ્વભરમાં કાગળના સ્ટ્રોની અછત છે. આ માટે મોટી સંખ્યામાં કાગળોની જરૂર પડશે. સરકારના આ નિર્ણયથી સોફ્ટ ડ્રિંક અને ડેરી પ્રોડક્ટ બનાવતી અને વેચાણ કરતી કંપનીઓ ને મોટો ઝટકો પડયો છે.
અમૂલે પ્લાસ્ટિક સ્ટ્રો મામલે સરકારને લખ્યો હતો પત્ર
દેશના સૌથી મોટા ડેરી સમૂહ અમૂલે પ્લાસ્ટિક સ્ટ્રોના ઉપયોગ મામલે અગાઉ સરકારને પત્ર લખ્યો હતો. જેમાં પ્લાસ્ટિક સ્ટ્રો ઉપર લાગનારા પ્રતિબંધને ટાળવા માંગ કરી હતી. આ તરફ સરકારે સીધી રીતે કંપનીઓને વૈકલ્પિક સ્ટ્રો માટે કહી દીધું છે. આ તરફ પારલે એગ્રો, ડાબર અને મધર ડેરી જેવી ડેરી સામગ્રી બનાવવા વાળી કંપનીઓ પેપર સ્ટ્રો મામલે કવાયત હાથ ધરી દીધી છે .