એક RTIમાં સરકારે જણાવ્યું છે કે કોરોનાની વેક્સિન ખરીદવા પર અત્યાર સુધી 35000 કરોડ રૂપિયાના ફંડમાંથી ફક્ત 13 ટકા જ ખર્ચ કરવામાં આવ્યો છે.
વેક્સિનની ખરીદી માટે 35 હજાર કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવ્યું
સુપ્રીમ કોર્ટે માંગ્યો છે વેક્સિનનો હિસાબ
સુપ્રીમે કર્યો સુઓમોટો
મોદી સરકારે કોરોના વેક્સિન માટે 35 હજાર કરોડ રૂપિયાની રકમ આપી છે. તેમાંથી અત્યાર સુધી 4500 કરોડ રૂપિયા ખર્ચ થયા છે. આ જાણકારી સરકારની તરફથી એક RTIમાં આપવામાં આવી છે. સરકારે જણાવ્યું છે કે તેમાંથી કેટલા રૂપિયા કોવિશીલ્ડ પર, અને કેટલા કોવેક્સિન પર ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત સરકારે એ પણ ખુલાસો કર્યો છે કે તેમણે કંપનીઓ પાસેથી વેક્સિન કઈ કિંમતમાં ખરીદી છે.
સરકારે કર્યા આ ખુલાસાઓ
નાણાકીય વર્ષ 2021-22ના કેન્દ્રીય બજેટમાં કોરોના વેક્સિનની ખરીદી માટે 35 હજાર કરોડ રૂપિયાનું ફંડ રાખવામાં આવ્યું હતું. RTI એક્ટિવિસ્ટ સૌરવ દાસે તેને લઈને જાણકારી માંગી હતી. તેના દ્વારા જાણવા મળ્યું કે અત્યાર સુધી વેક્સિન ખરીદવા પર કુલ ફંડના લગભગ 13 ટકા જ ખર્ચ થયું છે. એક રિપોર્ટ અનુસાર સરકારે RTIમાં જણાવ્યું કે, HLL લાઈફ કેર લિમિટેડને અત્યાર સુધી 4,488.75 કરોડ રૂપિયા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ એજન્સી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય માટ વેક્સિનની ખરીદી કરે છે. તેમાંથી કોવિશીલ્ડ વેક્સિના 21 કરોડ ડોઝ ખરીદવામાં આવશે. આ રીતે કોવેક્સિનના 7.5 કરોડ ડોઝ ખરીદમાં આવશે. તેના માટે 157.50 રૂપિયા પ્રતિ યુનિટ ચુકવવામાં આવશે. તેમાંથી 150 રૂપિયા પ્રતિ યુનિટ વેક્સિનની કિંમત અને 5 ટકા જીએસટીનો સમાવેશ થાય છે.
મોદી સરકારે 26 મેના રોજ આપેલા પોતાના જવાબમાં જણાવ્યું કે, શરૂઆતમાં પીએમ કેયર્સ ફંડ દ્વારા કોવિશીલ્ડના 5.6 કરોડ ડોઝ ખરીદ્યા હતા. તેની કિંમત 210 રૂપિયા પ્રતિ યુનિટ હતી. તે ઉપરાંત 1 કરોડ કોવેક્સિનના ડોઝ પણ ખરીદવામાં આવ્યા. તેની કિંમત 309.75 રૂપિયા પ્રતિ યુનિટ હતી. વેક્સિન ખરીદવાની પ્રક્રિયા સતત ચાલું છે.
સુપ્રીમ કોર્ટે માંગ્યો છે વેક્સિનનો હિસાબ
વેક્સિનની ખરીદીને લઈને સુપ્રીમ કોર્ટે પણ મોદી સરકારને પ્રશ્ન પુછ્યો છે. કોર્ટે સુઓમોટો કરી 31 મે અને 2 જૂને આ મમલામાં સુનાવણી કરી હતી. કોર્ટે આ સમયે પુછ્યું કે સરકારે વેક્સિન ખરીદવા માટે જે 35,000 કરોડ રૂપિયા નક્કી કર્યા હતા. તેનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવી રહ્યો છે? કોર્ટે એમ પણ પુછ્યું કે આખરે કેમ આ ફંડનો ઉપયોગ 18થી 44 વર્ષના લોકોને ફ્રિમાં વેક્સિન આપવા માટે નથી કરવામાં આવી રહ્યો? સુપ્રીમ કોર્ટના સવાલોના જવાબ આપવા માટે મોદી સરકારને 2 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.