કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિંહાને શનિવારે દિલ્હી બોલાવ્યા.ગૃહમંત્રી અને ઉપરાજ્યપાલ વચ્ચે આતંકીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી અંગે થશે વાતચિત
કાશ્મીર ઘાટી મુદ્દે શનિવારે મહત્વની બેઠક
ઉપરાજ્યપાલને અમિત શાહનું દિલ્હી માટે તેડું
બે દિવસમાં પાંચ નાગરિકોની હત્યાથી કેન્દ્ર વિચલિત
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિંહાને શનિવારે દિલ્હી બોલાવ્યા છે. મનોજ સિંહાની આ મુલાકાતથી મનાઈ રહ્યું છે કે, ગૃહમંત્રી અને ઉપરાજ્યપાલ વચ્ચેની આ બેઠકમાં આતંકીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી અંગે વાતચિત થઇ શકે છે.
સામાન્ય નાગરિકોને બનાવાય છે નિશાન
જામુ-કાશ્મીરમાં સામાન્ય નાગરિકોને નિશાન ( Target Killings )બનાવવાના મુદ્દા પર શનિવારે રાજધાની દીલ્જીમાં એક મોટી બેઠક થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ જમ્મુ-કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિંહાને દિલ્હી બોલાવ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં સામાન્ય નાગરિકોને પાકિસ્તાની આતંકી સંગઠનોના ઇશારે નિશાન બનાવાય છે સરકારના ઉચ્ચ સુત્રોના જણાવાયા મુજબ પાકિસ્તાની સંગઠન આ હુમલાઓમાં કાશ્મીરના સશસ્ત્ર અથવા પાર્ટ ટાઈમ આતંકીનો ઉપયોગ કરી રહ્યું છે.આવા આતંકીઓ સામાન્ય નોકરી કરતા હોય છે અને સામાન્ય નાગરિકોને નાના હથિયાર એટલે કે પિસ્ટલથી નિશાન બનાવે છે,હુમલો કર્યા પછી તેઓ ફરીથી સામાન્ય નાગરિકની જેમ જીવન જીવવા લાગે છે.
બે દિવસમાં પાંચની હત્યા
સુત્રોના જણાવાયા મુજબ સુરક્ષાદળોને એવા યુવાઓ અંગે ઇનપુટસ મળ્યા છે, જેઓની ઓળખાણ તુરંત થી શકે છે.હકિકતમાં કાશ્મીરમાં છેલા બે દિવસમાં પાંચ નાગરિકોની હત્યા થઇ છે.આ જ પરિણામે,ઘાટીમાં એકવાર ફરીથી આતંકવાદને લઈને ચિંતા વ્યક્ત કરાઈ છે.
સખ્ત પગલાઓથી આતંકીઓની રણનીતિ બદલાઈ
કાશ્મીરના આઈ જી વિજય કુમારનું કહેવું છે કે, આ વર્ષે અત્યાર સુધીમાં 28 સામાન્ય નાગરિકોની હત્યા થઇ છે.જેમાના પાંચ હિંદુ-શીખ સમુદાયના છે.છેલ્લા કેટલાક સમયમાં પોલીસ અને સુરક્ષા દળોનાં સખ્ત પગલાઓના કારણે નિરાશ થયેલા આતંકીઓ હવે પોતાની રણનીતિ બદલી રહ્યા છે.તેઓ નવા હુમલાઓ પ્લાન કરી રહ્યા છે. આ તમામની ઓળખ કરી શકાય તેમ છે અને કડકમાં કડક કાર્યવાહી કરીશું