આમ તો હનુમાન દાદાના ચમત્કારોના કિસ્સાઓ દુનિયાભરમાં પ્રસિદ્ઘ છે પણ ઉત્તરપ્રદેશના ઇટાવાથી લગભગ 12 કિલોમીટર દૂર આવેલુ હનુમાનજીનું આ મંદિર વિશેષ છે. એવું જાણવા મળ્યુ છે કે આ મંદિરમાં હનુમાનજી જાણે સૂઇ ગયા હો તે અવસ્થામાં તેમની મૂર્તિ જોવા મળે છે. અહીં હનુમાન દાદા જાતે પ્રસાદ ખાય છે.
હનુમાનજીના આ ચમત્કારિક મંદિરનું નામ મહાવીર મંદિર છે આ મંદિર ઉત્તરપ્રદેશના ઇટાવા જિલ્લાથી લગભગ 12 કિલોમીટર દૂર પિલુઆમાં આવેલુ છએ. આ મંદિરનું નિર્માણ રાજા હુક્મચંદ્ર પ્રતાપ ચૌહાણે કરાવ્યું હતું. તેમણે આ મંદિરની સ્થાપના 300 વર્ષ પહેલા કરી હતી. આ મંદિરની ખાસિયત છે કે અહીં સ્થાપિત હનુમાનજીની આ મૂર્તિ જાતે પ્રસાદ ખાય છે.
આ મંદિરના પૂજારી અને સ્થાનિક લોકોનું કહેવુ છે કે અહીં હનુમાનજીની મૂર્તિના મુખમાં પ્રસાદ નાખતા જ તે ગાયબ થઇ જાય છે લોકોનું એવું પણ કહેવુ છે કે હનુમાનજીની આ મૂર્તિને લાડુનો પ્રસાદ આપવામાં આવે તો તેઓ પ્રસન્ન થાય છે.
આ સાથે લોકોનું કહેવુ છે કે હનુમાનજી આ મંદિરમાં જીવીત અવસ્થામાં છે જો એકાંતમાં સાંભળવામાં આવે તો તેમની શ્વાસની પણ અવાજ સંભળાય છે. માન્યતા છે કે અહીં સ્થાપિત હનુમાનજીની મૂર્તિ એટલી પ્રભાવશાળી છે કે જે કોઇ ભક્ત આ મંદિરમાં આવીને હનુમાનજીના દર્શન કરે છે તેના જીવનમાં ક્યારેય કોઇ કષ્ટ જોવા મલતા નથી. જે લોકો અહીં આવીને દર્શન કરે છે તેઓ બિમારીમાંથી મુક્ત થઇ જાય છે.
ઉલ્લેખનીય છે કે હનુમાનજીના આ મંદિરના નિર્માણની પાછળ કંઈક એવી કહાણી પ્રચલિત છે કે રાજાને સ્વપ્નમાં હનુમાનજીના દર્શન આપતા હતા અને સ્વપનમાં જ આ જગ્યા વિશે જાણકારી આપી હતી.