અરવલ્લી જિલ્લામાં ગ્રાહક દિનની ઉજવણીના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રીએ અધિકારીઓનો ઉધડો લીધો. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં લોકોની પાંખી હાજરીને લઇને નારાજગી વ્યક્ત કરી.
અરવલ્લી જિલ્લામાં ગ્રાહક દિનની ઉજવણીમાં મંત્રી લાલઘુમ
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે અધિકારીઓનો ઉધડો લીધો
રાજ્ય કક્ષાનો કાર્યક્રમ છતાં પાંખી હાજરીને લઈ જાહેરમાં વ્યક્ત કરી નારાજગી
આજે અરવલ્લી જિલ્લામાં ગ્રાહક દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર હાજર રહ્યા હતા. આ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ઓછી સંખ્યામાં લોકો હાજર રહેતા તેઓએ જાહેરમાં નારાજગી વ્યક્ત કરી હતી.
પાંખી હાજરીને લઈ જાહેરમાં વ્યક્ત કરી નારાજગી
આ કાર્યક્રમમાં ભીખુસિંહ પરમારે કહ્યું કે, ગુજરાતમાં 33 જિલ્લા છે અને આ કાર્યક્રમ એક જિલ્લામાં યોજવાનો હતો. જ્યારે આ મારા વિભાગમાં આવતું હોવાથી મને પૂછવામાં આવ્યું હતું. મેં યાદી માંગી જેમાં 12 જિલ્લાની યાદી હતી જેમાં અરવલ્લી જિલ્લો હતો નહીં. મેં ચર્ચા કરી અને કહ્યું કે અરવલ્લી જિલ્લામાં રાખો અને આ રીતે અરવલ્લી જિલ્લામાં આ કાર્યક્રમ રાખવાનું નક્કી થયું.
અપેક્ષા પ્રમાણે સંખ્યા થાય એ ધ્યાને લેવાનું કહ્યું હતુંઃ ભીખુસિંહ
તેઓએ જણાવ્યું કે, મારો આશય અને અપેક્ષા એવી હતી. જોકે ખૂબ ટૂંકા સમયમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મેં અધિકારીઓને કહ્યું હતું કે મારી અપેક્ષા પ્રમાણે સંખ્યા થયા એવું થોડું ધ્યાનમાં લેજો. પણ એમા ક્યાંક ત્રૂટિ રહી હોય એવું મને જણાય છે. ચાલો વાંધો નહીં પણ ફરીથી જ્યારે અગત્યની માહિતી હોય, ગ્રાહકો સુધી પહોંચાડવાની હોય ત્યારે વધારે લોકો આવે એ ખૂબ જરુરી છે.