પેથાપુર સ્વામીનારાયણ મંદિરની ગૌશાળામાંથી બાળક મળવાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ એક્શનમાં આવ્યા છે. તેઓ આજના તમામ કાર્યક્રમો સ્થિગિત કરી દીધા થછે અને આજે તેઓ સિવિલની મુલાકાત લીધી છે જ્યાં બાળકને સારવાર અર્થે રાખવામાં આવ્યો છે.
ગૃહ રાજ્યમંત્રી તાબડતોબ કર્યા આ આદેશ
હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે બાળકને તરછોડનારને શોધવા તે પ્રાથમિકતા છે, તેમજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતે જ સમગ્ર ઘટનાનું મોનિટરિંગ કરી રહ્યા છે અને પોલીસ પણ બાળકોના પરિવારજનોની તપાસ કરી રહી છે જો કે હજુ સુધી બાળકની પરિવારજનોનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. આજે વહેલી સવારથી જ પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહ્યા છે. મંદિરમાં બાળકને તરછોડી જનારના સીસીટીવી સામે આવ્યા બાદ પોલીસ ફુટેજના આધારે પણ તપાસ કરી રહ્યા છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને પણ તપાસમાં જોડાવવા સૂચના
સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું કે ગઈ કાલે રાત્રે સવા નવ વાગ્યાની આસપાસ બાળક મળી આવ્યું હતું, સમગ્ર ઘટનાને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને પણ તપાસમાં જોડાવવા સૂચના આપી દેવામા આવી છે. તેમજ પોલીસની 7 જેટલી ટીમો બાળકના માતા પિતાની શોધખોળમાં લાગેલી છે. બાળકના ફોટો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહ્યા છે. તેમજ બાળકના પરિચિત હોય તેવા લોકોને તાત્કાલિક સંપર્ક કરવામ માટે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અપીલ કરી છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 9, 2021
બાળકના માતા-પિતાને શોધવા 8 ટીમો તૈયાર
મહત્વનું છે કે પેથાપુરાના સ્વામિનારાયણ મંદિરની ગૌશાળામાં બાળકને ત્યજી દેવા મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે, જેમાં બાળકના માતા-પિતાને શોધવા માટે પોલીસની 8 ટીમો તૈયાર કરાઈ છે, સાથે જ LCB અને SOGની 4 ટીમો તપાસમાં સામેલ છે અને મહિલા પોલીસની 2 ટીમો, સ્થાનિક પોલીસની 2 ટીમો પણ તપાસ હાથ ધરી રહી છે. બાળકના પરિવારને શોધવા માટે સિવિલ ડ્રેસમાં બાળકના ફોટા સાથે પોલીસને ગામડાઓમાં મોકલાઈ છે. તો બીજી તરફ ગુજરાતમાં મિસિંગ બાળકોની માહિતી એકઠી કરવામાં પણ 2 ટીમો કામે લગાડાઈ છે. પોલીસની 1 ટીમ દ્વારા તમામ રાજ્યોના પોલીસ કંટ્રોલ રૂમમાં બાળકની માહિતી પહોંચાડાઈ જ્યારે અન્ય રાજ્યમાં મળી આવેલા બાળકોની મિસિંગ કમ્પ્લેઈન નોંધાઇ કે કેમ તેની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. આમ બાળકના માતા પિતા અને પરિવારજનોને શોધવા માટે ગાંધીનગર પોલીસે અલગ અલગ 40 CCTV ફૂટેજની તપાસ કરી છે.
મંદિરમાં બાળકને મૂકી જનાર કોણ?
ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ મંદિરમાંથી એક બાળક મળી આવ્યું છે, મોડી રાત્રે બાળકને કોઈ અજાણી વ્યક્તિ મંદિરમાં મૂકી જતા અનેક તર્ક વિર્કતો થઈ રહ્યા છે. કોણ કુમળી વયના બાળકે આમ રસ્તે રઝળતા છોડીને ચાલ્યું ગયું, બાળકને મંદિરમાં ત્યજી દેવાનું આખરે કારણ શું એટલે લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
પેથાપુરના સ્વામિનારાયણ મંદિરમાંથી મળી આવ્યું બાળક
સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસ પણ સ્વામિનારાયણ મંદિર ખાતે આવી પહોંચી હતી અને બાળકને મુકી જનારની શખ્સની પોલીસે તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે બાળકને મંદિરમાં મૂકી જનાર વ્યક્તિના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસ વધુ સઘન પૂછપરછ હાથ ધરી છે. બાળક મળી આવતા બાળકની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી જો કે બાળક સંપૂર્ણ પણે સ્વાસ્થ્ય જણાઈ રહ્યું છે. હાલ તો પેથાપરવાસીઓ અને પોલીસકર્મીઓ બાળકીન સાર સંભાળ લઈ રહ્યા છે.
પેથાપુર મંદિરમાં બાળકને કોણ મૂકી ગયુ?
ઉલ્લેખનિય છે કે રાત્રે મંદિરમાં ચોકમાં દોઢ વર્ષના બાળકને મૂકીને ફરાર થઈ જનાર શખ્સની પોલીસ શોધખોળ હાથ ધરી છે, પરતું હજુ સુધી બાળકના માતા પિતા કે તેના સગાસંબધિની કોઈ સામે આવ્યું નથી. આ બાળકને આમ સસ્તે રઝળતા મૂકી જનાર શખ્સ કોણ છે ? શું ઘરકંકાસમાં બાળકને ત્યજી દેવામાં આવ્યું છે કે પછી બાળકના અપહરણ બાદ આ બાળકને ડરના કારણે મંદિરમાં ત્યજી દેવામાં આવ્યું તેને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. તે દિશામાં પણ પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો આ બાળકને તેના માતા પિતા સુધી પહોંચાડવા માટે VTV ન્યૂઝ દ્વારા એક મૂહિમ ચલાવવામાં આવી રહી છે.