ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ આજે મનપાના અધિકારીઓ કોરોનાની સમીક્ષાને લઈ બેઠક કરી. સાથેજ તેમણે જનતાને એવું નિવેદન પણ આપ્યું કે નેતાઓની ભૂલનું ઉદાહરણ લઈને પોતાનો જીવ જોખમમાં ન મુકો
ગૃહ રાજ્યમંત્રીએ મનપા અધિકારીઓ સાથે બેઠક કરી
કોરોનાની સ્થિતીની સમિક્ષા કરવા માટે કરી બેઠક
નેતાઓની ભૂલને લઈ ગૃહરાજ્યમંત્રીનું મોટું નિવેદન
વધતા જતા કોરોનાના કેસને લઈને આજે ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા બેઠક કરી હતી. જેમા તેમંણે મનપાના અધિકારીઓ સાથે બેઠ કરી હતી. બેઠક પૂરી થયા બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી જેમા તેમણે કોરોનાના વધતા કેસોને લઈને જનતાને મહત્વની વાતો કરી હતી.
CM દ્વારા પ્રભારી જિલ્લાઓમાં વ્યવસ્થા કરાઈ
ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જેથી રાજ્ય સરકારે વાયબ્રન્ટ ગુજરાતનો કાર્યક્રમ રદ કર્યો છે. જેથી સંક્રમણ વધારે ન ફેલાય અને બને તેટલા જલ્દી કાબૂમાં લાવી શકાય. સાથેજ તેમણે કહ્યું કે ગૃહમંત્રી અમિતશાહનો સુરત ખાતેનો કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો છે. આ સિવાય પણ તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ પ્રભારી મંત્રીઓના જિલ્લાઓમાં વ્યવસ્થા કરવવા માટે પણ સૂચના આપી છે.
SOPના ભંગ મુદ્દે મોટું નિવેદન
ગાંધીનગર જિલ્લાની વાત કરતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગાંધીનગરમાં પોઝિટીવ રેશિયો 4 ટકા છે. વધુમાં તેમણે રાજકીય નેતાઓ દ્વારા SOPના ભંગ મુદ્દે પણ મોટું નિવેદન આપ્યું અને કહ્યું કે દરેક પક્ષના નેતા SOPનું પાલન કરવા બંધાયેલા છે. ઉપરાંત તેમણે જનતાને નિવેદન કર્યું કે નેતાઓની ભૂલનું ઉદાહરણ આપીને જનતાએ પોતાનો જીવ જોખમમાં ન મુકવો જોઈએ. સાથેજ તેમણે કહ્યું કે નેતાઓની ટીકા કરી શકાય પણ આપણે ભૂલ ન કરવી જોઈએ.
હાલ 700 ઓક્સિજન કોન્સેનટેટર ઉપલબ્ધ
ઉલ્લેખનીય છે કે ગૃહ રાજ્યમંત્રીએ એવું પણ કહ્યું કે બીજી વેવ વખતે પણ ગાંધીનગરમાં મોટા પ્રમાણમાં સુવિધા ઉભી કરવામાં આવી હતી. સાથેજ કલોલ તાલુકામાં પણ આરોગ્યની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવી છે. હાલ 700 જેટલા ઓક્સિજન કોન્સેનટેટર ઉપલબ્ધ છે. સાથેજ ગાંધીનગર જિલ્લામાં ટ્રેસિંગ સિસ્ટિમ પણ સારી છે.