દિલ્હીમાં જવાહરલાલ નેહરૂ યૂનિવર્સિટી (JNU) અને જામિયા મિલિયા ઇસ્લામિયામાં છેલ્લા કેટલાક સમયથી પ્રદર્શન જોવા મળ્યા છે. ગત દિવસોએ બંને યુનિવર્સિટીમાં મારપીટ, તોડફોડ અને હિંસા જોવા મળી. ત્યારબાદ અહીં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને લઇને સવાલ ઉઠ્વા લાગ્યા. જોકે, હવે કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે આ યુનિવર્સિટીઓની પ્રશંસા કરી છે.
JNU અને જામિયાને કેન્દ્રીય માનવ સંસાધન મંત્રીએ કહી સૌથી સારી યુનિવર્સિટી
રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું, સંસ્થાની ગરિમા નીચે લઇ જવાના પ્રયાસને ચલાવી લેવામાં નહીં આવે
પોખરિયાલનું નિવેદન એવા સમયે આવ્યું જ્યારે જામિયાનો એક વીડિયો સામે આવ્યો છે
કેન્દ્રીય મંત્રી પોખરિયાલે કહ્યું છે કે જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (JNU), જામિયા અન્ય સંસ્થાઓ ખુબ જ સારી છે. હું શરૂઆતથી આ વાતનો સમર્થન આપતો રહ્યો છું. તેઓએ આગળ કહ્યું કે જે પણ આ સંસ્થાઓની ગરિમાને નીચે લઇ જવાનું કામ કરશે, તેને કોઇપણ કિંમત પર ચલાવી લેવામાં નહીં આવે.
નોંધનીય છે કે, પોખરિયાલનું નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે જામિયા મિલિયા ઇસ્લામિયા (Jamia Millia Islamia)ની લાઇબ્રેરીનો 15 ડિસેમ્બરનો એક વીડિયો સામે આવ્યો છે. જેમા પોલીસ ત્યાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ પર બર્બરતા પૂર્વક લાઠીચાર્જ કરતી દેખાઇ રહી છે. આ વીડિયોને જામિયા કોર્ડિનેશન કમિટીએ જારી કર્યો છે, જેમા સુરક્ષા દળ લાઇબ્રેરીમાં હાજર વિદ્યાર્થીઓ પર લાઠીઓ વરસાવતી દેખાઇ રહી છે.
કમિટીનો દાવો છે કે 15 ડિસેમ્બરે જ્યારે CAAની વિરુદ્ધ આંદોલન થયુ તો એ દરમિયાન પોલીસે જામિયાની અંદર અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીઓ વરસાવી. કમિટી દ્વારા જારી વીડિયોમાં વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં અભ્યાસ કરતા દેખાય છે. ત્યારે જ પોલીસ ત્યાં આવીને માર મારવા લાગે છે. આ વીડિયોમાં વિદ્યાર્થીઓના હાથોમાં પુસ્તકો નજરે પડી રહ્યા છે.
Union HRD Minister Ramesh Pokhriyal Nishank: Be it JNU, Jamia or other institutions, all of them are very good. Main shuru se is baat ka pakshdhar raha hoon, jo bhi in sansthanon ki garima ko girane ka kaam karega, usko kisi kimat par bardasht nahi kiya jayega. pic.twitter.com/sYlx4kx4L4
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોલીસ સ્થાપના દિવસે કહ્યું, લોકોને અપીલ છે કે તેઓ પોલીસનું સન્માન કરે. અમિત શાહે (Amit Shah) કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીજીએ કહ્યું હતું કે આપણે સમજવુ જોઇએ કે પોલીસ અમારી સુરક્ષા માટે છે. તેથી તેમની માત્ર ટીકા અથવા ઉપદ્રવીઓ તરફથી તેમને નિશાન બનાવવી ઠીક નથી. તેના કામને સમજવુ જોઇએ.