હવામાન વિભાગે ચક્રવાતી તોફાનની ચેતવણી જાહેર કરી છે. તેમનુ કહેવું છે કે અરબ સાગરના પશ્વિમી તટ પર બનેલા ઓછા દબાણવાળો વિસ્તારના ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ રહ્યો છે. તેમનું કહેવું છે કે હવાના ઓછા દબાણવાળા વિસ્તારમાં મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જેમાં આ રાજ્યોમાં ભારે વરસાદ થઈ શકે છે.
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ
દિલ્હીમાં આ અઠવાડિયે તાપમાન 40 ડિગ્રીથી નીચે રહેશે
એક અઠવાડિયા સુધી ગરમીમાંથી રાહત
ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના ડિરેક્ટર મૃત્યુંજય મહાપાત્રએ રવિવારે કહ્યું કે અરબ સાગરના દક્ષિણ પૂર્વ અને તેની સાથે જોડાયેવા પૂર્વ મધ્ય અને લક્ષ્યદ્વીપ વિસ્તારમાં ઓછુ દબાણ બન્યુ છે. આ વાતાવરણ અરબ સાગરના આ વિસ્તારમાં 24 કલાક સુધી કેન્દ્રિત કહેશે અને તેના આગલા 24 કલાકમા તે ચક્રવાતી તોફાનનું રુપ ધારણ કરી લેશે. તેમનું કહેવું છે કે ચક્રવાતી તોફાન 3 જૂન સુધી સાંજ સુધી ગુજરાત અને મહારાષ્ટ્રના તટ સુધી પહોંચી જશે.
ઉલ્લેખનીય છે કે લગભગ 2 અઠવાડિયા પહેલા જ સુપર સાઈક્લોન અમ્ફાને પ.બંગાળ, ઓડિશા અને બાંગ્લાદેશમાં ભારે નુકશાન પહોંચાડ્યુ છે. જેમાં લગભગ 100 લોકોના મોત નિપજ્યા છે.
એક અઠવાડિયા સુધી ગરમીમાંથી રાહત
આ દરમિયાન હવામાનના પશ્ચિમ હિમાલયી વિસ્તાર અને દક્ષિણ પ્રાયદ્રીપમાં આવનારા દિવસોમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. હાલમાં એક અઠવાડિયા સુધી ગરમીમાં ઘટાડો થવાની શક્યતાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. પરંતુ 8 જૂનથી ગરમી વધવાની શક્યતા છે. ત્યારે ભીષણ ગરમીની ઝપેટમાં રહેલા દિલ્હી- એનસીઆર સહિત ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં સપ્તાહાંતમાં થયેલા વરસાદથી લોકોને ઘણી રાહત મળી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આ અઠવાડિયે તાપમાન 40 ડિગ્રીથી નીચે રહેવાનો અંદાજ છે.