ગુજરાતમાં ફરી મેઘરાજા મહેરબાન થશે, હવામાન વિભાગે આગામી 3 દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી
ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, રાજ્યના હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 3 થી 5 દિવસોમાં ગુજરાતમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં મધ્યમ વરસાદની શક્યતા સેવાઈ રહી છે તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, કચ્છ, ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જોકે રાજ્યમાં હજુ પણ 49 ટકા વરસાદની ઘટ છે અત્યાર સુધીમાં રાજ્યમાં 506 MM વરસાદ પડવો જોઈએ જેની સામે માત્ર 259 MM વરસાદ નોંધાયો છે
તેમજ ગુરુવારથી લઈને શનિવાર સુધી હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં તાપી, નર્મદા, ડાંગ, વલસાડ, દમણ સહિત અનેક જગ્યાએ સારો એવો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી અને દાહોદ, પંચમહાલ, ખેડામાંમાં મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે શુક્રવાર સુધીમાં નવસારી વલસાડ બાદ રાજ્યના મહાનગરમાં તેમજ ખેડા, દાહોદ, મહિસાગર, સાબકાંઠા અને અરવલ્લી સહિતના પંથકમાં વરસાદ પડી શકે છે. સાથે શનિવાર સુધીમાં તો ભરૂચ, સુરતમાં સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદ પડવાની સંભાવના સેવવામાં આવી રહી છે.
ગુજરાતમાં ફરી સક્રિય થઈ શકે છે ચોમાસું
મહત્વનું છે કે જૂલાઈ બાદ વરસાદને લાંબો વિરામ લીધો છે જેથી ખેડૂતો ચિંતિત બન્યા છે. ગુજરાતમાં હજુ પણ સારા વરસાદ માટે રાહ જોવામાં આવી રહી છે કેમ કે આ વર્ષે જોઈએ એવો સારો વરસાદ ન થતા ખેડૂતોના માથે સંકટ તોડાઈ રહ્યું છે.
જો વરસાદ નહીં પડે તો મોટી આપદા સર્જાઈ શકે છે ખેડૂતોના તૈયાર પાક સિંચાઈના અભાવે ખરાબ થઈ શકે છે એટલું જ નહીં આ વખતે વરસાદ ઓછો પડતા રાજ્યમાં અનેક ચેકડેમમાં પાણીની આવક થઈ શકી નથી જેથી ડેમમાં પાણીના સ્તર નીચે ગયા છે. ડેમમાં પીવાના પાણીને રિઝર્વ કરવામાં આવે તેવી નોબત આવી છે ત્યારે હવે જગતનો તાત વરસાદની રાહ જોઈને બેઠો છે.
ગુજરાતમાં હજુ 46 ટકા વરસાદની ઘટ
જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધીમાં રાજ્યમાં 51.63 ટકા વરસાદ પડી ચુક્યો છે. જયારે સિઝનનો કુલ વરસાદ 36.17 ટકા જેટલો જ નોંધાયો છે. આમ રાજ્યમાં ફરી વરસાદ પાછો ખેંચાઈ જતા ખરીફ પાકને નુક્સાન જવાની ભિતિ સેવાઈ રહી છે. ગઈ કાલે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા નહીંવત દેખાઈ રહી છે.