25 ઓગસ્ટે હાર્દિક પટેલે ઉપવાસ આંદોલન કરવાની જાહેરાત કરી છે ત્યારે હાર્દિકના ઉપવાસ પહેલા જ મહેસાણામાં અનેક અટકળો વહેતી થઈ છે.
આંદોલનનું એપી સેન્ટર ગણાતા મહેસાણામાં હાર્દિકના ઉપવાસ પહેલા સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ થયા છે. વાયરલ થયેલા આ મેસેજમાં મહેસાણા બંધના એલાનની વાત કરવામાં આવી છે.
હાર્દિક પટેલે ઉપવાસ માટે મેદાન ફાળવવાની માગણી કરી છે. જોકે હજુ સુધી હાર્દિકને કોઈ મેદાન ફાળવવામાં આવ્યું નથી. હાર્દિકને મેદાન ફાળવવામાં ન આવે તો મહેસાણામાં બંધનું એલાન જાહેર કરવામાં આવશે તેવો મેસેજ વાયરલ થયો છે.
મહત્વનુ છે કે આ મેસેજ લાલજી પટેલના નામે વાયરલ થયો છે. લાલજી પટેલને જ્યારે આ અંગે પુછવામાં આવ્યું તો તેમણે મેસેજ ખોટો હોવાની વાત કરી. લાલજી પટેલે વાયરલ મેસેજ અંગે સ્પષ્ટતા કરી છે કે મહેસાણામાં કોઈ પ્રકારના બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું નથી.