અમદાવાદના જમાલપુર અને પાલડી વિસ્તારને જોડતા બ્રિજની જાળી તૂટી છે, તંત્રએ અમદાવાદ ટ્રાફિક પોલીસનું બેરીકેટ મૂકીને સંતોષ માન્યો
અમદાવાદના બ્રિજની જાળી તૂટી
પાલડી-જમાલપુરને જોડતો પુલની જાળી તૂટી
તંત્રએ બેરિકેટ મૂકી સંતોષ માન્યો
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં અમદાવાદ પર વિકાસકાર્યોનો વરસાદ કરનારૂં અમદાવાદ મનપા અમદાવાદના બ્રિજને ભૂલ્યું છે. કારણ કે, અમદાવાદના જમાલપુર અને પાલડી વિસ્તારને જોડતા પુલની જાળી તૂટી છે. આ બ્રિજ પર લોખંડની જાળી તૂટી જતા ગાબડું પડ્યું છે. જેથી તંત્રએ અમદાવાદ ટ્રાફિક પોલીસનું બેરીકેટ મૂકીને સંતોષ માન્યો છે.
અમદાવાદના બ્રિજની જાળી તૂટી
અમદાવાદના જમાલપુર અને પાલડી વિસ્તારને જોડતા પુલની હાલત જર્જરિત છે. પાલડી ખાતે આવેલા સરદાર પટેલ બ્રિજ પર લોખંડની જાળી ગાયબ છે માટે દુર્ઘટના ગમે ત્યારે સર્જાઈ શકે છે. સરદાર પટેલ રિવરબ્રિજ પર સાઈડની લોખંડની જાળી ગાયબ થઈ ગઈ છે ત્યારે તંત્રએ અમદાવાદ ટ્રાફિક પોલીસનું બેરીકેટ મૂકી સંતોષ માન્યો છે. આ બ્રિજ પર રોજના હજારો વાહનો પસાર થતાં હોય છે જો કોઈ દુર્ઘટના ઘટે તેનો જવાબદાર કોણ જેવા અનેક સવાલો ઉઠી રહ્યાં છે, અમદાવાદ તંત્ર જાણે આંખ આડા કરીને બેઠું હોય તેવું લાગી રહ્યું છે, મોરબી દુર્ઘટના બાદ પણ તંત્ર સુધરતું ન હોય તેવું જણાઈ રહ્યું છે. મનપા આ જર્જરિત બ્રિજને ક્યારે ધ્યાન પર લેશે તે મહત્વનું છે. આમ તો બ્રિજ ઉપરથી કોઈ નીચે પટકાય નહી તે માટે તે માટે લોખંડની મોટી જાળી લગાવવામાં આવતી હોય છે. જાળીમાં મોટા ગાબડા પડ્યાં છે જ્યાંથી નાના બાળકો પણ પસાર થતા હોય છે તો કોઈ જાનહાની થાય તો જવાબદાર કોણ રહેશે.
તંત્ર દુર્ઘટનાની રાહ જુએ છે?
જમાલપુર અને પાલડી વિસ્તારને જોડતા પુલની હાલત જર્જરિત છે. જ્યાં બ્રિજની જાળીમાં ગાબડા પડ્યાં છે જેને લોકો દ્વારા અનેક સવાલો ઉઠી રહ્યાં છે કે, આ બ્રિજ તંત્રને ક્યારે દેખાશે? તેમજ લોકો તંત્રને સવાલો કરી રહ્યાં છે કે, આ પુલનું સમારકામ તંત્ર કેમ કરતું નથી તે કોઈ દુર્ઘટનાની રાહ જુએ છે કેમ, પુલની જાળી તુટેલી હોવાથી કોઈ વાર દુર્ઘટના સર્જાય તો જવાહદાર કોણ જેવા લોકો દ્વારા અનેક સવોલો ઉઠી રહ્યાં છે.