પ્રધાનમંત્રી મોદીની વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ મનાવવાની જાહેરાત પર કોંગ્રેસે કટાક્ષ કર્યો છે.
પીએમ મોદીની વિભાજન સ્મૃતિ દિવસની જાહેરાત પર કોંગ્રેસનો કટાક્ષ
પીએમ પહેલા પાકિસ્તાનને તેના સ્વતંત્રતા દિવસની શુભકામના આપે છે-કોંગ્રેસ
યુપી ચૂંટણી આવતા ભારત-પાકિસ્તાનના ભાગલાની યાદ આવી
પીએમ મોદીએ 14 ઓગસ્ટના દિવસને વિભાજન સ્મૃતિ દિવસ તરીકે જાહેર કર્યો છે
પીએમ મોદી પર નિશાન સાધતા કોંગ્રેસે આરોપ લગાવ્યો કે પીએમ પહેલા પાકિસ્તાનને તેના સ્વતંત્રતા દિવસ અને રાષ્ટ્રીય દિવસની શુભેચ્છા આપે છે પછી યુપી વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાગલાને યાદ કરે છે.
ઉલ્લેખીય છે કે પ્રધાનમંત્રી મોદીએ 14 ઓગસ્ટના દિવસને લોકોના સંઘર્ષો અને બલિદાનની યાદમાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી છે.
વાહ સાહેબ- યુપી ચૂંટણી આવતા જ વિભાજનની યાદ આવી
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે ભાજની વિભાજનકારી છળકપટની પોલ હવે ખુલી ગઈ છે. સુરજેવાલાએ પીએમના એક જુના ટ્વિટ અને પાકિસ્તાની પીએમ ઈમરાનખાનને લખએલા પત્રને શેર કર્યો. તેમણે કહ્યું કે વિભાજનકારી છળકપટની પોલ ખુલી, હવે દેશને ભરમાવી નહીં શકો. 22 માર્ચે પાકિસ્તાનને અભિનંદન અને 14 ઓગસ્ટે પાકિસ્તાનને શુભેચ્છા. યુપી ચૂંટણી આવતા જ વિભાજનની યાદ આવી. વાહ સાહેબ.
ભાગલા વખતે મારા પરિવારના 14 સભ્યો માર્ગા ગયા-કોંગ્રેસ નેતા
કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ જણાવ્યું કે પ્રધાનમંત્રીએ આ જાહેરાત કરતા પહેલા તેની પર માફી માગવી જોઈએ કે તેમના વૈચારિક પૂર્વજો અને મુસ્લિમ લીગને કારણે દેશના ભાગલા પડ્યા. તેમણે દાવો કર્યો કે ભાગલા વખતે મારા પરિવારના 14 સભ્યો માર્ગા ગયા હતા. આ કોણ છે અમારી ટીસ દૂર કરનાર. તેમને કારણે મને ખીજ ચડી છે અને આજે આ ખીજ ફરી વધી રહી છે.
PM એ શું કહ્યું?
વડાપ્રધાન મોદીએ શનિવારે જાહેરાત કરી હતી કે 14 ઓગસ્ટને લોકોના સંઘર્ષો અને બલિદાનની યાદમાં પાર્ટીશન વિભાશીક સ્મારક દિવસ તરીકે ઉજવવામાં આવશે. કહ્યું કે ભાગલાની પીડા ક્યારેય ભૂલી શકાય તેમ નથી. ભાગલા દ્વારા લાવવામાં આવેલી નફરત અને હિંસાને કારણે આપણી લાખો બહેનો અને ભાઈઓને વિસ્થાપિત થવું પડ્યું અને જીવ ગુમાવવો પડ્યો.
વર્ષ 1947 માં બ્રિટીશ વસાહતી શાસન દ્વારા ભારતના વિભાજન પછી, પાકિસ્તાન મુસ્લિમ દેશ તરીકે બનાવવામાં આવ્યું હતું. તે દરમિયાન લાખો લોકો વિસ્થાપિત થયા હતા. ફાટી નીકળેલા તોફાનોને કારણે કેટલાક લાખો લોકોએ જીવ ગુમાવ્યા. ભારત રવિવારે પોતાનો 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. પાકિસ્તાન 14 ઓગસ્ટના રોજ પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે જાહેરાત કર્યાના કલાકો બાદ, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 14 ઓગસ્ટને 'ભિજન વિભિષિકા મેમોરિયલ ડે' તરીકે સૂચિત કરી છે.