અફઘાનિસ્તાનની સ્થિતીને લઈને દિલ્હીમાં PM આવાસ ખાતે મહત્વની બેઠક યોજવામાં આવી છે. જેમા ગૃહમંત્રી અને રક્ષામંત્રી પણ આ બેઠકમાં હાજર છે.
અફઘાનિસ્તાનની સ્થિતીને લઈ યોજાઈ બેઠક
PM આવાસ પર મહત્વની બેઠક યોજાઈ
બેઠકમાં લેવાઈ શકે છે મોટા નિર્ણય
તાબિબાને અફઘાનિસ્તાન પર કબ્જો મેળવી લીધા બાદ પીએમ આવાસ પર મહત્વની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાઈ છે. જેમા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ , રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને એનએસએ અજિત ડોભાલ સાતે નાણા મંત્રી નિર્મલા સિતારમણ પણ હાજર છે.
24 કલાકના ફોન નંબર જાહેર
CSSની આ બેઠક ખાસ અફઘાનિસ્તાનની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને યોજવામાં આવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરવિંદ બાગચીએ વિદેશ મંત્રાલય સાથે ચલાતા 24 કલાકના ફોન નંબર પણ જાહેર કર્યા છે. સ્પેશિયલ સેલને અફઘાનિસ્તાથી પ્રત્યાવર્ધન તેમજ અન્ય કારણોસર સ્થાપિત કરવામાં આવ્યા છે.
120 ભારતીયો આજે પરત આવ્યા
બીજી તરફ આજે C-17 પ્લેન કાુલથી 120 ભારતીયોને પરત લઈને આવ્યું છે. તેને પહેલા ગુજરાતના જામનગરમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. ત્યાથી બાદમાં તેને હિંડન એરબેસ પર લઈ જવામાં આવ્યું. જે લોકોને કાબુલથી લાવવામાં આવ્યા તેમા ભારતીય દૂતાવાસના કર્મચારી, તેમજ અમુક પત્રકારો પણ શામેલ છે.
હજુ 300 ભારતીયો ફસાયા હોવાનો અંદાજો
જે લોકો પરત આવ્યા તેમનું કહેવું છે કે હજુ પણ અંદાજે 300 ભારતીય કાબુલમાં ફસાયેલા છે. આ પરિસ્થિતીની વચ્ચે એવા સમાચાર પણ સામે આવ્યા છે કે તાલિબાને અલકાયદા અને ઈસ્લામિક સ્ટેટના 2300 આંતકીઓને છૂટા મુકી દીધા છે.