બિહારના પટનામાં આવેલ કટિહાર નગરમાં મેયર શિવરાજ પાસવાનની સરાજાહેર હત્યા કરી દેવામાં આવી છે. જે મામલે પોલીસ હાલ આરોપીઓને શોધી રહી છે.
બિહારમાં સરાજાહેર મેયરની હત્યા
છાતીમાં 3 ગોળી મારી આપ્યો હત્યાને અંજામ
હત્યાને અંજામ આપીને આરોપી ફરાર
Bihar | Katihar Mayor Shivraj Paswan was shot at by unknown miscreants. He succumbed to injuries while rushing to the hospital. pic.twitter.com/UDfqJFgQxj
બિહારના પટનામાં કટિહાર નગર નિગમના મેયર શિવા પાસવાનની ગત રોજ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. અજાણ્યા શખ્સોએ સંતોષી ચોક પાસે સાંજના સમયે આવીને આ હત્યાને અંજામ આપ્યો છે. સરાજાહેર મેયરની હત્યાને કારણે અહીયાના લોકોમાં હાલ ભયનો માહોલ ફેલાઈ ગયો છે. સાથેજ આ ઘટનાને લઈને લોકોમાં રોષ પણ ફેલાયેલો છે.
In the Katihar incident where ex-Mayor was killed yesterday, FIR was registered against 11 known and other unidentified persons. Of which, four people have been arrested. A special team has also been formed to arrest other accused: Bihar ADG (Headquarters) Jitendra Kumar pic.twitter.com/02HcZLjBWf
મેયર શિવા પાસવાનને જ્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ત્યારે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે આરોપીઓએ તેમની છાતીમાં ત્રણ ગોળી મારી હતી. બાદમાં તેઓ ત્યાથી ફરાર થઈ ગયા. જોકે ઘટનાને લઈને તેમને તુંરત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ ત્યા સુધીમાં તેમણે શ્વાસ છોડી દીધા હતા.
कटिहार के मेयर श्री शिवराज पासवान जी की हत्या का समाचार सुनकर स्तब्ध हूं। 17 जुलाई 2021 को 'आशीर्वाद यात्रा' के दौरान उनसे कटिहार में मुलाकात हुई थी। वह बेहद ही सरल स्वभाव के व्यक्ति थे।
मैं ईश्वर से उनकी आत्मा की शांति के लिए प्रार्थना करता हूँ। pic.twitter.com/RTaww54p5c
— युवा बिहारी चिराग पासवान (@iChiragPaswan) July 29, 2021
આરોપીઓને જલ્દી ઝડપી પાડવાનો પોલીસનો દાવો
આ બનાવને લઈને બિહાર પોલીસ પણ દોડતી થઈ ગઈ છે અને આરોપીઓની શોધી રહી છે. પોલીસનું એવું કહ્યું છે કે જે લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. તે લોકોને ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવશે.
ચિરાગ પાસવાને ટ્વીટ કર્યુ
સમગ્ર મામલે એલજેપી સાંસદ ચિરાગ પાસવાને ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું. સાથેજ આરોપીઓ સામે કડક પગલા લેવામાં આવે તેવી તેમણે માગ કરી છે. ટ્વીટ કરીને તેમણે કહ્યું કે શિવરાજ પાશવાનની હત્યાના સામાચાર સાંભળ્યા બાદ હુ આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો. વધુંમાં તેમણે એવું પણ કહ્યું કે ગત 17 જુલાઈએ આશીર્વાદ યાત્રા સમયે તેમની સાથે મુલકાત થઈ હતી.
હત્યારાઓને કડક સજા મળે તેવી માગ
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે ચિરાગ પાસવાને શિવરાજ પાસવાન વીશે કહ્યું કે તેઓ ખૂબ સરળ સ્વભાવના વ્યક્તિ હતા. ભગવાન તેમની આત્માને શાતિ આપે તેવી મારી પ્રા્થના છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે દુખના સમયમાં હુ તેમના પરિવાર સાથે ઉભો છુ. ઉપરાંત તેમણે તંત્રને માગ કરી છે કે હત્યારાઓને કડકમાં કડક સજા આપવામાં આવે.