અમદાવાદનાં પાંજરાપોળ પાસે એક એકસ્માતમાં BRTS બસની અડફેટે બે યુવકોનાં મોત નિપજ્યાં છે. અકસ્માત સર્જનાર BRTSનો ડ્રાઈવર ફરાર છે. આ અંગે જાગૃત નાગરિકે મેયરને ફોન કર્યો તો પીએએ ઉપાડ્યો હતો. નાગરીકને સંતોષકાર જવાબ આપ્યા વગર અડધી વાતમાં પીએએ ફોન કાપી નાંખ્યો હતો. આ ઘટનાં વીટીવી ચેનલમાં લાઈવ થતાં બદનામીથી ડરેલા મેયરે પ્રેસ કોન્ફરન્સ બોલાવી. પ્રેસ કોન્ફરન્સમાં પણ તેઓ દુઃખી થવાની એક્ટિંગ કરવામાં નિષ્ફળ રહ્યાં હતા. શું મેયરને 2 યુવકોનાં મોતની ગંભીરતા નથી સમજાતી કે પછી તેમને માત્ર સત્તામાં રસ છે? જાણો કેવું હતું મેયરનું વર્તન...
મેયર બે યુવકોનાં મોતની ગંભીરતા ભૂલી હસ્તા નજરો
અમુલ ભટ્ટે કહ્યું BRTS નાં કોન્ટ્રાક્ટર અને ડ્રાઈવરની ભૂલ લાગશે તો પગલા ભરશું
મેયરે આપ્યો ઘટનાં પર ઉડાઉ જવાબ
મેયરે કાર્યક્રમમાં હોવાની વાત કરી ઘટનાને મહત્વ ન આપ્યું
પાંજરાપોળ પાસે BRTS ની ટક્કરે બે સગા ભાઈઓનું મોત નિપજ્યું છે. જેને પગલે એક જાગૃત નાગરિકે મમેયર બિજલ પટેલને ફોન લગાવ્યો હતો. ત્યારે તેઓ એક કાર્યક્રમમાં વ્યસ્ત હોવાનું જણાવ્યું હતું. મેયરનો ફોન તેમનાં PAએ ઉઠાવ્યો હતો. મેયર કાર્યક્રમમાં વ્યસ્ત હોવાનું જણાવીને ઉડતો જવાબ આપ્યો હતો. અકસ્માત જેવી ગંભીર ઘટના અંગે નાગરિક ફોન કરે છે. જોકે મેયરે એક અધિકારીને ઘટનાસ્થળે મોકલ્યા હોવાનું રટણ કરે છે. યુવકોની જીંદગી કરતાં મેયર માટે કાર્યક્રમ વધારે અગત્યનો હતો. તેઓ કાર્યક્રમ છોડીને ઘટના સ્થળે આવવાનું તો દુર પરિવારની વ્યથા સમજવાનો પણ સમય કાઢી શક્યાં નહોતા. એટલું જ નહી મેયરનાં પીએએ જાગૃત નાગરિકની વાત પુરી થાય તે પહેલાં ફોન કારી નાંખ્યો હતો. જેને લઈને લોકોમાં પણ રોષ ફેલાયો છે..
બે યુવકોની મોતને મજાક બનાવી દેતા મેયર
મેયરેનાં કહેવા પ્રમાણે તેઓ એક કાર્યક્રમમાં સ્ટેજ પર હોવાથી કોઈ ફોન ઉપાડ્યાં નથી. મેયરની પીએનાં કહેવા પ્રમાણે તેમણે મેયરને અકસ્માતની જાણ કરી હતી. તો સવાલ એ છે કે મેયરને અકસ્માતમાં 2 લોકોનાં મોતની જાણ હોવા છતાં તેઓ કાર્યક્રમ છોડી શક્યાં નહોતા. બીજી તરફ મેયરે પત્રકારોનાં ફોન ઉપાડવાનું ટાળી પ્રેસકોન્ફરન્સ બોલાવી હતી. પ્રેસ કોન્ફરન્સ ચાલું થાય તે પહેલાં તેઓ હસ્તા નજરે પડ્યા હતાં. તેમનાં ચહેરા પર જરાક પણ દુઃખ વર્તાઈ રહ્યું નહોતું. જોકે જેવી પ્રેસ કોન્ફરન્સ ચાલું થઈ કે મેયર ગંભીર ચહેરાની મુદ્રા બનાવી લીધી હતી. તેમ છતાં પણ તેઓનો ડોળ ઉડીને આંખે વળગે તેવો હતો.
મેયરે આપ્યો આવો ઉડાઉ જવાબ
જ્યારે પત્રકાર દ્વારા તેમને અકસ્માત થયાની ઘટનાની જાણ થતાં તમે કેમ સ્થળ પર ન આવ્યાં એમ પુછવામાં આવ્યું ત્યારે મેયરે ઉડાવ અને મોતની ઠેકડી ઉડાડતા હોય તેવો જવાબ આપતાં કહ્યું હતું કે, મને જ્યારે ખબર પડી ત્યારે હું સ્ટેજ પર હતી. ઘટના બન્યા પછી સ્થળ જવું અશક્ય હતું. પહેલાથી ખબર તો હોય નહી કે ઘટનાં બનવાની છે.
આટલું જ નહીં ઘટનાની તપાસ વિશે પુછાયેલા સવાલમાં મેયરે કહ્યું હતું રિપોર્ટનાં આધારે ખ્યાલ આવશે. ગંભીર ઘટનાની વચ્ચે પણ બિન સંવેદનશીલ મેયરે સરકારની ભાટાઈ કરતા કહ્યું હતું કે સંવેદનશીલ સરકાર છે અમે પગલા ભરીશું. તેમજ મેયરે ચાલું પ્રશ્નોત્તરીમાંથી ઉભા થઈ કેટલાક સવાલોનાં જવાબ ટાળી બાજુની ખુરશીમાં ઘસી ગયા હતાં. તેમજ કહ્યું હતું કે આગળનાં જવાબ અમુલ ભટ્ટ આપશે.
અમુલ ભટ્ટે આપ્યા સુફિયાણી સરકારી જવાબો
સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન અમુલ ભટ્ટે કહ્યું હતું કે ઘટનાને પગલે BRTSનાં અધિકારી મુકેશ પટેલ ઘટનાં સ્થળે પહોંચ્યા હતાં. પોલીસ તપાસ કરશે. જ્યારે પત્રકારોએ પુછ્યું કે કોન્ટ્રાક્ટર અને ડ્રાઈવર સામે કોઈ પગલા ભરાશે? તેનાં જવાબમાં અમુલ ભટ્ટે કહ્યું હતું કે જરુર લાગશે તો કોન્ટ્રાક્ટર અને ડ્રાઈવર સામે પગલા લઈશું. તેમજ નવા ટેન્ડરમાં સજાની જોગવાઈ ઉમેરીશું. આઈટીએમએસમાં BRTSની સ્પીડ દેખાઈ જશે. તેમજ અમુલ ભટ્ટે કહ્યું હતું કે તેઓ ઘટનાને પગલે મીટિંગો કરશે. ત્યારે સવાલ એ છે કે મીટીંગો તો તેમની અવિરત ચાલે છે તેમ છતાં અકસ્માત થાય છે, તો પછી અકસ્માત કેમ નથી રોકાતાં.