બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:07 PM, 12 June 2024
દુનિયામાં ઘણી એવી ઘટનાઓ બનતી હોય છે કે જે સાંભળીને લોકોના હોંશ ઉડી જતા હોય છે. આવી અનેક ચોંકાવનારી ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે ત્યારે હાલમાં પણ એક આવી ઘટના સામે આવી છે. તમે ઘણીવાર લોકોને એમ કહેતા સાંભળ્યા હશે કે 'મૃત્યુ પછીની દુનિયા કોણે જોઈ છે? પણ શું ખરેખર એવી દુનિયા છે? ભલે વૈજ્ઞાનિકો આ વાત સાથે સહમત ન હોય પરંતુ વિશ્વના વિવિધ ભાગોમાં કેટલાક લોકો એવા છે જેઓ તેનો અનુભવ કર્યો હોવાનો દાવો કરે છે. આવી જ એક વ્યક્તિ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર સમાચારમાં છે, જેની રહસ્યમય કહાનીએ લોકોને ચોંકાવી દીધા છે.
ADVERTISEMENT
એક ન્યૂઝના અહેવાલ મુજબ આ વાર્તા એવા દર્દીની છે જેણે મૃત્યુની નજીક અનુભવ કર્યો હતો અને તેના જીવનમાં નોંધપાત્ર પરિવર્તનનો અનુભવ કર્યો હતો. Reddit પર આ અનામી વ્યક્તિએ જણાવ્યું કે જ્યારે તેને મૃત જાહેર કર્યાની થોડીવાર પછી હોશ આવ્યો, ત્યારે તે તેની સામે જોઈને વિશ્વાસ ન કરી શક્યો. તે માણસ કહે છે કે તેણે એક તેજસ્વી પ્રકાશ જોયો અને તેમાં ગયો. તેના કહેવા પ્રમાણે ત્યાં તેને તેનું બાળપણનું ઘર અને તેની તાજેતરમાં મૃત્યુ પામેલી દાદી મળી હતી, પોસ્ટમાં આગળ લખ્યું છે કે, તેણે તેની દાદી સાથે લાંબી વાત કરી હતી. આ સમય દરમિયાન તેણે પૂછ્યું કે શું તે તેના જીવનમાં એવું કંઈ કરી રહ્યો છે જે ખરેખર મહત્વનું છે. તે વ્યક્તિએ કહ્યું, આ પ્રશ્ને તેને ઊંડી અસર કરી અને તેણે તેના જીવનનું પુનઃ મૂલ્યાંકન કર્યું.
ADVERTISEMENT
વધુ વાંચો : ઘોર અંધારામાં આવે છે રહસ્યમયી મહિલા, ડોર બેલ વગાડી લાગે છે રડવા, કિસ્સો ડરામણો
Reddit પોસ્ટમાં વ્યક્તિએ એ પણ સ્વીકાર્યું કે તે તેના ભૂતકાળમાં ખરાબ વ્યક્તિ રહ્યો છે અને ઘણી વખત તેનો નકારાત્મક પ્રભાવ રહ્યો છે. પરંતુ તેનો મૃત્યુ નજીકનો અનુભવ તેના માટે એક વળાંક બની ગયો, જેના પછી તેણે પોતાનું જીવન બદલવાનું નક્કી કર્યું. આ વ્યક્તિએ કહ્યું કે તે હવે કાઉન્સેલર છે અને શોષણનો સામનો કરતા બાળકો માટે કામ કરે છે. તે કહે છે કે આ કામથી તેને ઘણો આનંદ થયો અને તેને અહેસાસ કરાવ્યો કે જીવનમાં દયાળુ બનવા માટે વ્યક્તિએ મરવું અને પુનર્જન્મ લેવો જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.