કચ્છમાં ફરી સાંજે બે વખત ભૂકંપના આંચકાઓ નોંધાયા, એક રાપર નજીક 4ની તિવ્રતાનો આચંકો આવ્યો તો બીજો રિકટેર સ્કેલ પર 2.8ની તીવ્રતા નોંધાયો
કચ્છના રાપરમાં ભુકંપના બે આચંકા અનુભવાયા
રિક્ટર સ્કેલ 4ની તિવ્રતાનો અનુભવાયો આંચકો
બીજો આંચકો રિકટેર સ્કેલ પર 2.8 ની તીવ્રતા નોંધાઇ
કચ્છમાં છેલ્લા એક મહિનામાં ત્રણથી વધુ વખત 3 ઉપરની તીવ્રતાના આંચકા જુદા - જુદા તાલુકામાં આવી ચુક્યા છે. ત્યારે આ પરંપરા બંધ થવાનું નામ લઇ રહી નથી. એક જ દિવસમાં બે વખત ભૂકંપના આંચકોઓ નોંધાયા છે. એક રાપર નજીક 4ની તિવ્રતાનો આચંકો આવ્યો છે. તો બીજો આંચકો રિકટેર સ્કેલ પર 2.8ની તીવ્રતાથી નોંધાયો હતો. તેનું કેન્દ્રબિંદુ દુધઈથી 9 કિલોમીટર દૂર નોંધાયું હતું. આ અગાઉ 18મી જૂલાઇએ પણ રિકટર સ્કેલ ઉપર 3.9ની તીવ્રતા નોંધાઈ હતી. તેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 19 કિલોમીટર દૂર નોંધાયું હતું. કચ્છમાં એક જ દિવસમાં આંચકાનું પ્રમાણ વધતા ફફડાટ ફેલાયો છે.
21 જુલાઈના દિવસે રાજસ્થાનમાં આંચકા
રાજસ્થાનમાં બીકાનેર 21 જુલાઈના દિવસે સવારે 5: 25 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકાથી હચમચી ઉઠયું હતું. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું કે, જ્યારે લોકો ઊંઘમાં હતા ત્યારે તેમને ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે, અચાનક ભૂકંપ અનુભવાતા સ્થાનિકોના જીવ તાળવો ચોંટ્યા હતા અને તેઓ ઘરની બહાર દોડી આવ્યા હતા.
મોટાભાગે કાર-બાઈક અથવા કોઈ પણ વાહન લેતી વખતે ઈન્શ્યોરન્સને લઈને ગંભીર નથી હોતા. એવામાં લોકોને પછીથી પસ્તાવવાનો વારો આવે છે. કારણ કે વ્હીકલ ઈન્શ્યોરન્સ લેતી વખતે સામાન્ય રીતે લોકો થર્ડ પાર્ટી ડેમેજ વિશે વધારે વિચારતા નથી. અથવા પોતાને થતા નુકસાન વિશે વિચારે છે.
મોનસૂન સીઝનમાં ઘણી વખત કાર બાઈક પુરમાં વહી જવાના કિસ્સા સામે આવે છે. તો ક્યાંક બાઈક અથવા કાર પર ઝાડ અથવા વિજળી પડવાની ઘટના પણ સામે આવે છે. આ ઉપરાંત વાહનમાં આગ લાગવાની ઘટનાઓ પણ સામે આવે છે. એટલે કે કુદરતી આફતથી વાહનને પણ નુકસાન થાય છે. હવે સવાર એ ઉઠે છે કે શું તમારી ગાડીનું ઈન્શ્યોરન્સ એવી આફતો પર કવર આપે છે?
કુદરતી આફતોના કારણે વાહનને થતા નુકસાનની ભરપાઈ કઈ રીતે વીમા દ્વારા કરી શકાય તેના વિશે આજે અમે તમને વિસ્તારથી જણાવીશું. જોકે અમુક લોકો વાહન ઈન્શ્યોરન્સ ખરીદતી વખતે કુદરતી આફતો જેવી કે પુર, ભૂકંપ અને ભુસખલન જેવી ઘટનાઓને ધ્યાનમાં રાખે છે.
કુદરતી આફતમાં વાહનને નુકસાન થાય તો શું કરશો?
કુદરતી આફતોમાં વાહનને થતા નુકસાનની ભરપાઈ માટે હંમેશા 'કોમ્પ્રિહેન્સિવ મોટર ઈન્શ્યોરન્સ' જ ખરીદો. કારણ કે કોમ્પ્રિહેન્સિવ મોટર ઈન્શ્યોરન્સ પોલિસીમાં લગભગ દરેક પ્રકારના નુકસાનનો સમાવેશ થાય છે. કુદરતી આફતોના કારણે થતુ નુકસાન આ પોલિસીમાં શામેલ છે. એટલે કે જો તમે કાર બાઈક માટે પોલિસી લીધી છે તો પછી વાદળ ફાટવા અથવા પુરમાં વાહન વહી જવા પર વીમા કંપની ચુકવણી કરશે.
આ ઉપરાંત કોમ્પ્રિહેન્સિવ મોટર ઈન્શ્યોરન્સમાં વાહન ચોરી થવા પર પણ કવર મળે છે. સાથે જ જો ગાડીને નુકસાન તમારી ભૂલના કારણે થાય છે તો પણ પોલિસીમાં કવર મળે છે. એટલે કે આ વીમામાં ગાડીની ચોરી, આગથી નુકશાન, પુરના પાણીના કારણે થનાર નુકશાન, ભૂકંપ, ભુશખલન, વાવાઝોડા વગેરે કુદરતી આફતોના કારણે થતા નુકસાનનુ કવર પણ મળે છે. તેમાં કોઈ જાનવર દ્વારા થયેલા નુકસાનને પણ કલર કરવામાં આવે છે.
ભરતીય બજારમાં બે પ્રકારના વાહન ઈશ્યોરન્સ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે.
પહેલો- કોમ્પ્રિહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ પોલિસી
બીજો- થર્ડ પાર્ટી કાર ઈશ્યોરન્સ કોમ્પ્રિહેન્સિવ ઈશ્યોરન્સ પોલિસીમાં વધુ કવર આપવામાં આવે છે. તેમાં ચોરી, આગથી થતા નુકશાન, લુંટ, માનવ નિર્મિત અને કુદરતિ આફતોના કારણે થતા નુકસાનો પર પણ કવર આપવામાં આવે છે.
વીમો લેવા માટે પહેલા કરો રિસર્ચ
પોતાના વાહન માટે કોઈ પણ વીમા પોલિસી ખરીદ્યા પહેલા ઉપલબ્ધ વિકલ્યો અને તમને મળવાના લાગો વિશે રિસર્ચ કરો. વીમા કંપનીના કુદરતી આફતોથી થતા નુકસાન વિશે પુછો.