સામાન્ય રીતે સાંભળ્યું હશે કે સવારે ગરમ પાણી કે તાંબાના વાસણમાં ભરેલું પાણી પીવાથી ઘણો ફાયદો થાય છે. પરંતુ જીરા ગોળનું પાણી તમે સવારે ખાલી પેટે ક્યારેય પણ પીધું નહીં હોય. જીરું અને ગોળ બંન્ને આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તો ચલો જાણીએ જીરા ગોળનું પાણી બનાવવાની રીત અને રોજ સવારે આપણે ખાલી પેટે પીવાથી કેવા કેવા ફાયદા થાય છે.
ભૂખ્યા પેટે ગોળ અને જીરાના પાણીનું સેવન કરવું જોઇએ.
જીરા અને ગોળનું પાણી પીવાથી ગેસ અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ દૂર થાય છે
પીઠ, કમર અને સાંધાના દુખાવાથી રાહત મળે છે
આવી રીતે બનાવો જીરા ગોળનું પાણી
2 કપ પાણી
1 ચમચી ગોળ
1 ચમચી જીરુબનાવવાની રીત
ગોળ અને જીરાનું પાણી બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણ લો.
તેમા 1 ચમચી ગોળ અને 1 ચમચી જીરું ઉમેરી તેને ઉકાળો.
તે બાદ આ પણીને ઠંડુ થવા દો.
સાવરે ભૂખ્યા પેટે આ પાણીનું સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે.
જીરા ગોળનું પાણી પીવાના ફાયદા જણાવો
• આ પાણીનું સેવન કરવાથી શરીરમાંથી ચરબી ઓછી થાય છે. તમે ગોળવાળી ચા પણ બનાવી શકો છો.
• જીરા અને ગોળનું પાણી પીવાથી ગેસ અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ દૂર થાય છે. રોજ સવારે 1 ગ્લાસ જીરું અને ગોળનું પાણી તમે ડાયેટમાં સામેલ કરી શકો છો.
• ઘણી વાર લોહીમાં અનેક ઝેરી પદાર્થ આવી જાય છે. જેને શરીરમાંથી બહાર નીકાળવા ખૂબ જરૂરી હોય છે. આ ઝેરી પદાર્થોને બહાર નીકાળવામાં ગોળ અને જીરું ખૂબ સહાયક છે.
• જ્યારે ઘણી મહિલાઓને માસિક ધર્મ દરમિયાન દુખાવો તેમજ અનિયમિતતા રહે છે. રોજ ગોળ અને જીરાના પાણીનું સેવન કરવાથી આ સમસ્યાઓથી છૂટકારો મળી શકે છે.
• જીરું અને ગોળમાં પોટેશિયમ વધારે પ્રમાણમાં હોય છે. જેથી શરીરને ઉર્જા મળે છે. શરીરમાં ઉર્જાનું પ્રમાણ યોગ્ય રાખવા માટે સવારે ભૂખ્યા પેટે ગોળ અને જીરાના પાણીનું સેવન કરવું જોઇએ.
• શરીરમાં લોહીની ઉણપ તેમજ એનીમિયાની સમસ્યા થવા પર ગોળ અને જીરાનું પાણી પીવું જોઇએ. જેમા રહેલા પોષક તત્વ લોહીમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરે છે.
• શિયાળામાં સાંધાનો દુખાવો થવો સામાન્ય વાત છે. જેથી દરરોજ એક ગ્લાસ જીરાના પાણીમાં ગોળ, પીઠ, કમર અને સાંધાના દુખાવાથી રાહત મળે છે.