ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને અપાતા ભોજનમાં મૃત ગરોળી નીકળી હોવાની ઘટના સામે આવી છે, ગત બુધવારના દિવસે દર્દીને અપાયેલા ભોજનમાં ગરોળી જોવા મળી હતી
ગાંધીનગર સિવિલમાં દર્દીના ભોજનમાં નિકળી ગરોળી
ઘટના ધ્યાને આવતા સ્ટાફ આવ્યું હતુ હરકતમાં
સ્ટાફે સ્થિતિને પગલે ભોજનનો કર્યો નાશ
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને અપાતા ભોજનમાંથી મૃત ગરોળી નિકળી છે. બુધવારે ઘટના બનતાની સાથે જ હોસ્પિટલ સ્ટાફ હરકતમાં આવ્યો હતો. હોસ્પિટલ સ્ટાફ દ્વારા સ્થિતિને પગલે ભોજનનો નાશ કરાયો હતો. ત્યાર બાદ આ ભોજન લેનારા તમામ દર્દીઓને 36 કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રખાયા હતા. ઓબ્ઝર્વેશન દરમિયાન તમામ દર્દીઓની તબિયત સ્થિર છે.
ગુજરાત સરકારના પટાંગણમાં જ તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. બેદકારી એવી કે, હોસ્પિટલમાં સાજા થવા આવેલા દર્દીને મોત મળી શકે છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને અપાતા ભોજનમાં મૃત ગરોળી નીકળી હોવાની ઘટના સામે આવી છે. ગત બુધવારના દિવસે દર્દીને અપાયેલા ભોજનમાં ગરોળી જોવા મળી હતી. ભોજનનો એક ફોટો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જે કે, સમગ્ર મામલો સામે ન આવે તેના પણ પ્રયાસ થયા હતા. ઘટના સામે આવ્યા બાદ હરકતમાં આવેલા તંત્રએ ભોજન લેનારા તમામ દર્દીઓને ઓબ્ઝર્વેશનમાં રાખ્યા હતા. મૃત જંતુવાળા ભોજન બાદ દર્દીને ઈન્ફેક્શન ફેલાઈ શકે અને જીવલેણ પણ સાબિત થઈ શકે છે.