જો તમે દિવાળીમાં ફરવા જવાનો પ્લાન બનાવો છો, તો જાણી લો ભારતમાં ફરવાલાયક ફેમસ સ્થળોનું લીસ્ટ
દિવાળીમાં ભારતમાં ફરવાલાયક ફેમસ સ્થળોનું લીસ્ટ
આગરાનો તાજમહેલ દુનિયાની અજાયબી
પિંક સિટી કોઈનું પણ મન મોહી શકે છે
ભારતમાં આગરા, વારાણસી, ઋષિકેશ અને જયપુર એવા ટૂરિસ્ટ પ્લેસ છે, જ્યાં વિદેશીઓ સૌથી વધારે આવે છે. જો તમે અહીં નથી ગયા તો એકવાર તો જરૂર જવું જોઈએ. આવો જાણીએ આ સ્થળો વિષે.
ઋષિકેશ
આ ઉત્તરાખંડનું સૌથી ફેમસ ટૂરિસ્ટ પ્લેસ છે. અહીં પણ વિદેશથી પર્યટકોની ભીડ લાગે છે. અહીં તમે રામ ઝૂલો અને લક્ષ્મણ ઝૂલો જોઈ શકશો.
જયપુર
રાજસ્થાનની સંસ્કૃતિ કોઈનું પણ મન મોહી લે છે. અહીં પિંક સિટી એટલે કે જયપુર શહેર પર્યટકો વચ્ચે ઘણું ફેમસ છે. એટલા માટે અહીં દેશ વિદેશથી લોકો ફરવા માટે આવે છે. અહીં હવા મહેલ, અંબર પેલેસ, સિટી પેલેસ, જંતર મંતર, નાહરગઢ કિલ્લો, લક્ષ્મી નારાયણ મંદિર, લેક પેલેસ અને જયગઢ કિલ્લો ફરીને વિદેશી પર્યટકો ભારતના ઈતિહાસ અને સંસ્કૃતિને એક જગ્યા પર માણે છે.
આગરા
આગરા શહેરમાં દુનિયાની સાત અજાયબીમાની એક તાજમહેલ સ્થિત છે. આને યૂનેસ્કોએ પોતાના વારસામાં પણ સામેલ કર્યું છે. એટલા માટે તાજમહેલને જોવા માટે ભારતીયોની સાથે સાથે દુનિયાભરથી હજારો લોકો અહીં પહોંચે છે. તાજમહેલ ઉપરાંત તમે આગરામાં તાજ મ્યૂઝીયમ અને આગરાનાં લાલ કિલ્લાને પણ જોઈ શકો છો.
વારાણસી
યૂપીનું વારાણસી શહેર ભારતનાં ફેમસ પર્યટન સ્થળોમાનું એક છે. ગંગા નદીના કિનારે આવેલા આ શહેરમાં 12 જ્યોતિર્લીંગોમાંથી એક કાશી વિશ્વનાથનું મંદિર પણ છે. આ શહેરનું વાતાવરણ કોઈને પણ પોતાની તરફ આકર્ષી લે છે. એટલા માટે અહીં વિદેશોથી પણ ઘણા પર્યટકો આવે છે.