મોરબી બ્રિજ દુર્ઘટના બાદ હવે ખાનગી ટ્યુશન સંચાલકોએ મોટો નિર્ણય કર્યો છે. એકેડેમિક એસોસિએશન દ્વારા સૌરાષ્ટ્રમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનારને વિના મૂલ્યે અભ્યાસ કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈ ટ્યુશન કલાસીસ સંચાલકો બાળકોને આજીવન નિઃશુલ્ક શિક્ષણ આપશે.
મોરબી બ્રિજ દુર્ઘટના સૌરાષ્ટ્રના કેટલાય બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવઈ છે. જોકે હવે આ બાળકો માટે ખાનગી ટ્યુશન સંચાલકોએ મોટો નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્રમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનારને હવે એકેડેમિક એસોસિએશન દ્વારા વિના મૂલ્યે અભ્યાસ કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે આવા બાળકોને ટ્યુશન કલાસીસ સંચાલકોઆજીવન નિઃશુલ્ક શિક્ષણ આપશે.
મહત્વનું છે કે, ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર રાજભવન ખાતે યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં આગામી તારીખ 2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દિવસે સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં.
મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ તંત્રની સતત ખડે પગે કામગીરી
વિપદાની આ પળે મુખ્યમંત્રીએ ઘટનાસ્થળે જઈ અને મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાતો કરી તેમ જ વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે કામગીરીની સતત સમીક્ષા કરતા પ્રત્યક્ષ મોનિટરિંગ કર્યું હતું. અસરગ્રસ્ત લોકોને અગવડતા ન પડે તે માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પણ 100 બેડના અલાયદા વોર્ડની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ ઇજાગ્રસ્ત દર્દીઓની મુલાકાત તબિયતની જાણકારી મેળવી હતી.
સહાય ચૂકવવાની કામગીરી હાથ ધરવામા આવી
મુશ્કેલીની આ ઘડીમાં દુર્ઘટનાનો ભોગ બનેલ હતભાગીઓના પરિવારજનોને મદદરૂપ થવા તાત્કાલિક અસરથી મુખ્યમંત્રીએ આર્થિક સહાય પણ જાહેર કરી છે. જે હેઠળ મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાંથી પ્રત્યેક મૃતકના પરિવારજનને 4 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. જેના પગલે મૃતકોના પરિજનોને આ સહાય ચૂકવવાની કામગીરી હાથ ધરવામા આવી રહી છે.