બિહાર ચૂંટણીના પરિણામોને લઈને હજુ પણ રસાકસી ચાલી રહી છે, NDA અને મહાગઠબંધન વચ્ચે જ્યાં બિહારમાં સરકાર બનાવવા માટે કટોકટની હરીફાઈ ચાલી રહી છે, મહાગઠબંધનના નેતાઓ એક બાજુ જ્યાં પરિણામોને લઈને ધાંધલીનો આરોપ લગાવી રહ્યા છે અને EC એ ફરિયાદ કરી હતી ત્યાં એક નેતા અને એક એવી પાર્ટી પણ છે જેણે માત્ર પાંચ બેઠક મળી છે તો હૈદરાબાદમાં નેતાના નિવાસસ્થાને ફટાકડા ફોડવામાં આવ્યા છે.
બિહારમાં ઓવૈસીની પાર્ટીને મળી પાંચ બેઠક
સીમંચલમાં પાંચ બેઠક મળી તો સમર્થકો થઈ ગયા ખુશખુશાલ
હૈદરાબાદમાં ઓવૈસીના નિવાસસ્થાને ફોડ્યા ફટાકડા
બિહારમાં હજુ પણ જ્યાં સત્તા ની ચાવી કોની પાસે રહેશે તેનું ફાઇનલ ચિત્ર સ્પષ્ટ થયું નથી, એક એક સીટ માટે કે જ્યાં કટ્ટર હરીફાઈ ચાલી રહી છે ત્યારે માત્ર પાંચ સીટો મળ્યા છતાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM ને સીમંચલ વિસ્તારની પાંચ સીટો પર વિજય મળતા તેમના સમર્થકોએ હૈદરાબાદમાં તેમના નિવાસસ્થાને ફટાકડા ફોડ્યા હતા, હકીકત તો એ છે કે બિહારમાં AIMIM નું આ પ્રથમ વાર ખાતું ખૂલ્યું છે અને પહેલી વારમાં જ પાંચ સીટો મળતા ઓવૈસી ખુશ થઈ ગયા હતા અને તેમણે જનતાનો આભાર માન્યો હતો.
RLSP અને BSP સાથે કર્યું હતું ગઠબંધન
ઓવૈસીની પાર્ટીએ ઉપેન્દ્ર કુશવાહાની RLSP અને માયાવતીની BSP સાથે ગઠબંધન કર્યું હતું, જેનો તેમને ભરપૂર ફાયદો મળ્યો છે અને તેમની પાર્ટીને 5 સીટો પર જીત મળી છે, BSP ઉ પણ ખાતું ખૂલ્યું છે જ્યારે કે પહેલા NDA અને પછીથી મહાગઠબંધનનો ભાગ રહેલી RLSP ને એક પણ સીટ મળી નથી, જો કે ઓવૈસીએ આ બંનેનો ગઠબંધન કરવા માટે આભાર માન્યો હતો.
ઓવૈસીએ કહ્યું હતું કે અમે બિહારની જનતાનો આભાર માનીએ છીએ કે તેમણે અમારા પર વિશ્વાસ મૂક્યો અમે તેને ખોટો નહીં પડવા દઈએ, જો કે કોંગ્રેસે તેમની પાર્ટીને ભાજપ ની B ઈં ગણાવી ને વોટ - કટવા પાર્ટી કહી હતી, તેના આરોપોનો જવાબ આપતા AIMIM એ કહ્યું હતું કે અમને વોટ - કટવા પાર્ટી વાળાને અહીની પ્રજાએ પૂરતો જવાબ આપી દીધો છે.