કોરોનાની બીજી લહેરને લીધે જાહેરાત બાદ લાંબા સમય સુધી એવોર્ડ અપાયો ન હતો જેથી 9 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે આ પુરસ્કાર એનાયત થશે
સ્વ.નરેશ મહેશ કનોડિયાને પદ્મશ્રી આપવામાં આવશે
9 નવેમ્બર ના રોજ રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત થશે
અગાઉ જાહેરાત થાય બાદ કોરોનાને કારણે એવોડ અપાઈ શક્યો ન હતો
ગુજરાતી ફિલ્મના કલાકારો સ્વ.નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાને 9 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડ પરિવારજનને આપશે. મહત્વનું છે આ અંગેની જાહેરાત 25 જાન્યુઆરી 2021ના રોજ કરવામાં આવી હતી પણ કોરોનાની બીજી લહેરને કારણે સમારંભ મોકૂફ રાખવામાં આવ્યો હતો જે બાદ હવે આવનાર 9 નવેમ્બરના રોજ બંને સ્વર્ગસ્થ કનોડિયા બંધુ ઉપરાંત કુલ 119 હસ્તિઓને પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવશે.9 નવેમ્બર ખાસ એટલા માટે છે કારણ કે ત્યારે જુનાગઢ મુક્તિ દિવસ પણ ઉજવવામાં આવે છે.સીએમ ભૂપેન્દ્ર પટેલે ખુદ કેન્દ્ર સરકાર તરફથી મળેલી માહિતી બાદ તારીખનો ખુલાસો કર્યો છે.
આ ગુજરાતીઓને અપાશે પદ્મ પુરસ્કાર
સ્વ.કેશુભાઈ પટેલને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરાયા છે. તો સ્વ.નરેશ કનોડિયા અને સ્વ.મહેશ કનોડિયાને સંયુક્ત પદ્મશ્રી પુરસ્કાર અપાયો છે. સાથે દાદુદાન ગઢવી(કવિ દાદ), ચંદ્રકાન્ત મહેતા(સાહિત્ય અને શિક્ષણ) પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા છે.
કોણે અપાશે પદ્મ વિભૂષણ
10 સન્માનિત લોકોને અપાશે પદ્મ ભૂષણ
જાપાનના પ્રધનમંત્રી શિંજો આબે, મૌલાના વહીદુદ્દીન ખાન, બીબી લાલ, સુરદ્શન પટનાયકને પદ્મ વિભૂષણ આપવાની જાહેરાત કરાઇ છે. તો પૂર્વ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, પ્રધાનમંત્રીના પૂર્વ મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રા, પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન(મરણોપરાંત), અસમના પૂર્વ મુખ્યમંત્રી તરૂણ ગોગોઈ(મરણોપરાંત) અને ધર્મગુરૂ કલદી સાદિક(મરણોપરાંત) સહિત 10ને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.
Former Governor of Goa Mridula Sinha, British film director Peter Brook, Father Vallés (posthumous), Professor Chaman Lal Sapru (posthumous) are among 102 recipients of Padma Shri award. pic.twitter.com/oMoHg3DXcc
ગણતંત્ર દિવસે થઈ હતી જાહેરાત જાહેરાત
ઉલ્લેખનીય છે કે પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી પુરસ્કાર દેશના નાગરિક માટે સર્વોચ્ચ સન્માન છે. આ પુરસ્કારોની શરૂઆત 1954માં થઈ હતી. અને દર વર્ષે ગણતંત્ર દિવસના અવસરે તેની જાહેરાત કરવામાં આવતી હોય છે.