આ ચંદ્રગ્રહણ દરેક રાશિ પર અસર કરશે પણ આ 5 રાશિઓ માટે ખૂબ ખરાબ સાબિત થવાનું છે, ચાલો જોઈએ કઈ રાશિ સૌથી વધુ પ્રભાવિત થશે.
8 નવેમ્બરના દિવસે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું
ચંદ્રગ્રહણ આ 5 રાશિઓ માટે ખૂબ ખરાબ સાબિત થવાનું છે
દર વર્ષે દેવ દિવાળી કાર્તિક પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે અને આ વખતે કાર્તિક પૂર્ણિમા 08 નવેમ્બર 2022ના રોજ પણ આ દિવસે જ વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ લાગવા જઈ રહ્યું છે. જણાવી દઈએ કે ગ્રહણ દરમિયાન પૂજા કરવી શુભ માનવામાં આવતી નથી. એટલા માટે આ વર્ષે દેવ દિવાળી 07 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. ચંદ્રગ્રહણની શરૂઆત 8 નવેમ્બરે બપોરે 2:39 કલાકે શરૂ થશે અને પછી મધ્યકાળ 4:29 કલાકે થશે. ગ્રહણની સમાપ્તિ એટલે કે મોક્ષકાળ સાંજે 6.19 કલાકે રહેશે. જણાવી દઈએ કે આ ગ્રહણ આંશિકરૂપે થશે એટલે કે ભારતના કેટલાક ભાગોમાં દેખાશે. ગ્રહણનો સુતક સમય સવારે 5.30 થી શરૂ થશે.
આ ચંદ્રગ્રહણ દરેક રાશિ પર અસર કરશે પણ આ 5 રાશિઓ માટે ખૂબ ખરાબ સાબિત થવાનું છે, ચાલો જોઈએ કઈ રાશિ સૌથી વધુ પ્રભાવિત થશે.
મેષ રાશિ
જે લોકોની જન્મતારીખ 21મી માર્ચથી 19 એપ્રિલની વચ્ચે હોય એમને મેષ રાશિના લોકો માનવામાં આવે છે. જણાવી દઈએ કે મેષ રાશિના જાતકોએ આ ચંદ્રગ્રહણ દરમિયાન અશુભ પ્રભાવનો સામનો કરવો પડશે અને ચંદ્રગ્રહણની અશુભ અસરને કારણે આ રાશિના લોકોને પૈસાની અછત દેખાશે. આ સાથે જ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે. આ સમયે આ રાશિના લોકોએ ક્યાંય પૈસાનું રોકાણ ન કરવું જોઈએ.
વૃષભ રાશિ
જણાવી દઈએ કે આ ચંદ્રગ્રહણની વૃષભ રાશિના લોકો પર મિશ્ર અસર જોવા મળશે. એક તરફ નાણાકીય બાબતોમાં લાભ થવાની સંભાવના છે તો બીજી તરફ શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો સાબિત નહીં થાય અને આ સમયે તમારે ધીરજ રાખવી જોઈશે.
કન્યા રાશિ
જણાવી દઈએ કે આ ચંદ્રગ્રહણની મિશ્ર અસર કન્યા રાશિ પર જોવા મળશે. ગ્રહણ સમયે પરિવાર સાથેના સંબંધોના કેટલાક કડવા અનુભવો થઈ શકે છે પણ આ સામે નોકરી કરતા લોકો માટે આ સમય સારો સાબિત થશે. આ સાથે જ નોકરીની નવી તકો મળી શકે છે, પણ ઓફિસમાં વાતચીતમાં તમારે ધીરજ રાખવી પડશે.
તુલા રાશિ
તુલા રાશિના લોકો પર ચંદ્રગ્રહણની ખૂબ જ અશુભ અસર પડશે અને તેને કારણે આ સમયે નોકરી અને ઘર બંને જગ્યાએ ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થવું પડી શકે છે. આ સિવાય પૈસાને લઈને ઘણા પડકારોનો સામનો કરવો પડી શકે છે. બિઝનેસમાં પણ અનેક સમસ્યા આવી શકે છે.
વૃશ્ચિક રાશિ
આ ચંદ્રગ્રહણના અશુભ પ્રભાવથી વૃશ્ચિક રાશિના લોકોના જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને આ રાશિના લોકોએ કારકિર્દીમાં અનેક પડકારોનો પણ સામે આવશે. બીજી બાજુ પૈસાની બાબતમાં ઘણો મુશ્કેલ સમય આવી શકે છે. પૈસાના અભાવે તમારા કેટલાક મહત્વપૂર્ણ કામ અટકી જશે.