ચંદ્રગ્રહણની સીધી અસર તમામ જીવો પર પડે આ કારણે ચંદ્રગ્રહણ દરમિયાન અનેક કાર્યો કરવાની મનાઈ ફરમાવામાં આવી છે.
ચંદ્રગ્રહણની શરૂઆત 8 નવેમ્બરે બપોરે 2:39 કલાકે શરૂ થશે
ચંદ્રગ્રહણ દરમિયાન મહિલાઓએ ન કરવું જોઈએ આ કામ
સૂતકનો પ્રભાવ ઓછો કરે છે આ ઉપાય
દર વર્ષે દેવ દિવાળી કાર્તિક પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે અને આ વખતે કાર્તિક પૂર્ણિમા 08 નવેમ્બર 2022ના રોજ છે પણ આ દિવસે જ વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ લાગવા જઈ રહ્યું છે. જણાવી દઈએ કે ગ્રહણ દરમિયાન પૂજા કરવી શુભ માનવામાં આવતી નથી. એટલા માટે આ વર્ષે દેવ દિવાળી 07 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. ચંદ્રગ્રહણની શરૂઆત 8 નવેમ્બરે બપોરે 2:39 કલાકે શરૂ થશે અને પછી મધ્યકાળ 4:29 કલાકે થશે. ગ્રહણની સમાપ્તિ એટલે કે મોક્ષકાળ સાંજે 6.19 કલાકે રહેશે. જણાવી દઈએ કે આ ગ્રહણ આંશિકરૂપે થશે એટલે કે ભારતના કેટલાક ભાગોમાં દેખાશે. ગ્રહણનો સુતક સમય સવારે 5.30 થી શરૂ થશે. ચંદ્રગ્રહણની સીધી અસર તમામ જીવો પર પડે આ કારણે ચંદ્રગ્રહણ દરમિયાન અનેક કાર્યો કરવાની મનાઈ ફરમાવામાં આવી છે. નવેમ્બરે ચંદ્રગ્રહણ દરમિયાન ભુલીને પણ ન કરવું જોઈએ આ કામ.
સૂતક કાળ દરમિયાન મહિલાઓએ ન કરવું જોઈએ આ કામ
ધાર્મિક વિદ્વાનો અનુસાર સુતકનો સમયગાળો ચંદ્રગ્રહણ પહેલા શરૂ થાય છે અને આ સુતક કાળની લોકો પર વિપરીત અસર પડે છે. ગ્રહણના સુતક કાળમાં સગર્ભા સ્ત્રીઓએ કપડા સીવવા અને કાપવાનું કામ ન કરવું જોઈએ. આ સિવાય એમને શાકભાજી કાપવા જેવું કામ પણ ન કરવું જોઈએ.
સૂતકનો પ્રભાવ ઓછો કરે છે આ ઉપાય
ચંદ્રગ્રહણ પહેલા સુતક કાળ હોય ત્યારે લોકોએ ભૂલથી પણ સૂવાની ભૂલ ન કરવી જોઈએ. આમ કરવાથી એ લોકોને ગ્રહણની ખરાબ અસરોનો સામનો કરવો પડે છે અને આર્થિક સ્થિતિ બગડે છે. જણાવી દઈએ કે ગ્રહણની અશુભ અસરને ઓછી કરવા માટે આ સમયગાળા દરમિયાન મંત્રોનો જાપ કરવો જોઈએ.
ગ્રહણ દરમિયાન ન કરો અન્નનું સેવન
જ્યારે સૂતક કાળ ચાલી રહ્યો હોય ત્યારે લોકોએ ભોજનનો ત્યાગ કરવો જોઈએ. આ સિવાય એ સમય દરમિયાન ન તો રાંધવું કે ન તો કઈં ખાવું જોઈએ. જો કે આ નિયમ બીમાર, વૃદ્ધો અને બાળકોને લાગુ પડતો નથી.
મંગળવારે સાંજે 5 વાગ્યે થશે ચંદ્રગ્રહણ
માનવામાં આવે છે કે જ્યારે પણ ચંદ્રગ્રહણ થાય છે તેના 8 કલાક પહેલા સુતક કાળ શરૂ થાય છે. સુતક કાળ આ ગ્રહણના બરાબર 8 કલાક પહેલા એટલે કે મંગળવારે સવારે 8 વાગ્યાથી શરૂ થશે અને આ પછી જ્યાં સુધી ગ્રહણ પૂર્ણ ન થાય ત્યાં સુધી લોકોએ વર્જિત કાર્ય ન કરવું જોઈએ.