કાશ્મીરમાં આતંકીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલા જવાનનો પાર્થિવદેહ વતન કપડવંજ લવાયો જે બાદ આજે જવાનને અંતિમ વિદાય આપવા આખુ ગામ હીબકે ચડ્યું હતું
જવાનની શહીદી પર આખું ગામ હીબકે ચડ્યું
જવાનનો પાર્થિવદેહ વતન કપડવંજ લવાયો
કપડવંજમાં લોકો શ્રદ્ધાંજલિ આપવા ઉમટ્યા
જન્મુ-કાશ્મીરમાં આતચંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલી અથડાણમણાં ગુજરાતનો વીર સપૂત શહીદ થયો હતો. જે બાદ શહીદ હરીશસિંહ પરમારનો પાર્થિવ દેહ તેમના વતન લવાયો હતો. ખેડાના કપડવંજ તાલુકાના નાનકડા ગામ એવા વણઝારીયા ગામનો જવાને શહાદત વોરી જતા, આખું ગામ શોકમગ્ન થયું હતું અને સૌ કોઈએ શહીદ જવાનને આખરી સમાલ આપી શહીદ જવાનની સહદતને અશ્રુ ભીની આંખે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
જવાનનો પાર્થિવદેહ વતન કપડવંજ લવાયો
દેશ માટે હંમેશા તત્પર રહેનાર અને પોતાની જાન નછોવાર કરનાર આર્મી જવાનના પાર્થિવદેહને વતનમાં લવાતા જ આખું ગામ જવાની અંતિમ યાત્રામાં જોડાયું હતું એટલું જ નહીં આસપાસના ગામલોકો પણ શહીદ જવાનની અંતિમ યાત્રામાં જોડાતા વાતાવરણ પણ દ્રવી ઉઠ્યું હતું. મહત્વનું છે કે કપડવંજના વણઝારીયા ગામના 25 વર્ષિય હરિશસિંહ રાધેસિંહ પરમારે સહાદત વહોરી લીધી, જમ્મુ કાશ્મીરમાં આંતકીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલેલી કલાકોની અથડામણમાં હરિશસિંહને ગોળી વાગી હતી જેમાં જવાહ શહીદ થયો હતો જેની જાણ જવાનના વતન સુધી પહોંચતાં સમગ્ર ગામ અને પંથકમાં ભારે ગમગીની છવાઇ ગઇ છે.
કપડવંજમાં લોકો શ્રદ્ધાંજલિ આપવા ઉમટ્યા
શહીદ જવાન છેલ્લે મે મહિનામાં પોતાના વતન વણઝારીયા ગામે આવ્યા હતા. જ્યાં એક મહિનાની રજાના સમયગાળામાં પોતાના પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવી જવાન પરત જમ્મુમાં હાજર થયા હતા. પરતું કોઈએ જાણ્યુ પણ નહીં હોય કે આ જવાન આવી રીતે ઘરે પરત ફરશે, કાશ્મીરમાં આતંકીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલા જવાનનો પાર્થિવદેહ વતન કપડવંજ લવાયો હતો જે બાદ આજે એક કિ.મી. લાંબી શહીદ જવાનની અંતિમ યાત્રા નિકળી હતી જેમાં આસપાસની ગ્રામજનો અને આખું ગામ અંતિમ યાત્રામાં સામેલ થયું હતું.