જમીન માટે સંબંધોને લોહીલુહાણ કરવામાં આવી રહ્યા છે. હજુ એક નાના ભાઈની પત્નીએ હિસ્સો માંગતા મોટા ભાઈએ તેનું ખૂન કરી નાખ્યાની ઘટનાને 24 કલાક પણ વીતવા પામ્યા નહોતા, ત્યાંજ વધુ એક વિવાદમાં ભત્રીજાએ તેના બે કાકાની હત્યા કરી નાખી હતી, ખૂબ જ ટૂંકા સમયમાં બનેલી આ ઘટનાને લઈને તંત્ર સ્તબ્ધ થઈ ગયું હતું, ઘણી બધી પોલીસ ફોર્સ એકી સાથે તપાસ સ્થળે પહોંચી ગઈ હતી.
યુપીના હાથરસમાં ફરીથી લોહી રેડાયું
પોલીસ વિભાગમાં ખળભળાટ
જમીન વિવાદમાં બે સગા ભાઈઓનું કરાયું મર્ડર
હાથરસ ના સદાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતા ગામ નગલા ઘનીમાં શુક્રવારે સાંજે મોટા ભાઈએ નાના ભાઈની પત્નીની હત્યા કરી દીધી હતી, આ ઘટનાને હજુ 24 કલાક પણ થયા ન હતા કે બીજા ગામ નાગરીયા છવામાં હત્યાની બીજી ઘટનાએ પોલીસ વિભાગને સ્તબ્ધ બનાવી દીધું છે. હાલમાં તંત્ર આ ઘટનાને લઈને હરકતમાં આવી ગયું છે.
ગામને પોલીસ છાવણીમાં ફેરવી નંખાયું
તાત્કાલિક ઘણા સ્ટેશનોની પોલીસ ફોર્સ નાગરપુર છાવા પહોંચી ગઈ હતી. આખું ગામ પોલીસ છાવણી બની ગયું. જોકે આરોપી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતો. આ પછી, ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને ઘટના સાથે જોડાયેલા તથ્યોની જાણકારી મેળવી હતી.
જમીન માટે સંબંધો થઈ રહ્યા છે રક્તરંજિત
જમીન માટે સંબંધો લોહીલુહાણ રહ્યા છે તે તથ્ય વિચારવા માટે મજબૂર કરી શકે તેમ છે, ટીકેતા નગલા ઘની ગામમાં હિસ્સો માંગવા આવેલી નાના ભાઇની પત્નીને મોટાભાઈએ પતાવી દીધી હતી, તે સમયે જ નાગરિયા છાવા ગામમાં ભત્રીજાએ એક વિવાદમાં પોતાના બે કાકાઓની હત્યા કરી નાખી હતી.
લોકો તેમની ધીરજ ગુમાવી રહ્યા છે. જમીનની ખાતર 24 કલાકમાં બનેલી આ હત્યાઓની ઘટનાઓએ બધાને ચોંકાવી દીધા છે. જો કે એક સત્ય એ પણ છે કે તાલુકા થી લઈને ઘણી કક્ષાએ જમીન વિવાદોની ઘણી ફાઈલો ક્લિયર થયા વગરની પડી રહેતી હોય છે.
આરોપી ભાગી જવામાં સફળ રહ્યો, પોલીસે ચક્રો ગતિમાન કર્યા
ટિકેતા નાગલા ઘની ગામમાં મોટા ભાઈ અને તેની પત્ની, જે નાના ભાઈની પત્નીની હત્યારા છે, 24 કલાક બાદ પણ ફરાર છે. પોલીસ હજુ સુધી તેમણે પકડી શકી નથી. અહીં નગરીયા છવામાં ડબલ મર્ડરની ઘટનાએ પોલીસની ચિંતા વધારી દીધી છે. બંને ઘટનામાં નોંધાયેલા આરોપીને શોધવા પોલીસ તપાસ કરી રહી છે. જોકે, પોલીસ હજી સફળ થઈ નથી. સી.ઓ. બ્રહ્મસિંહે માહિતી આપી હતી કે ટીમ આરોપીના પગલાં દબાવી રહી છે ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે.
હાલમાં પરિવાર ગમગીન છે
ગામ નગરીયા છવા માં બે ભાઈઓની હત્યા કર્યા બાદ સમગ્ર પરિવારમાં અરાજકતા છે. પરિવારના સભ્યોની હાલત ખરાબ છે. શનિવારે મૃતકોના નિવાસ સ્થળે ભારે ભીડ હતી.