ભારતમાં કોરોનાની બીજી લહેરમાં સ્વાસ્થ્ય સિસ્ટમ સાવ ખાડે ગઈ છે પણ હવે વેક્સિન માટે પણ લોકોને વલખાં મારવા પડે છે
કોંગ્રસ નેતા પી ચિદંબરમએ ટ્વિટ કરી કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા
દરરોજ રસીકરણની સંખ્યામાં ઘટાડો કેમ?
દરરોજ રસીકરણની સંખ્યામાં ઘટાડો કેમ?
કોંગ્રસ નેતા પી ચિદંબરમએ ટ્વિટ કરી કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા
વેક્સિનની અછત માટે સરકાર પર દિવસે દિવસે દબાણ વધતું જઈ રહ્યું અને સમગ્ર વિપક્ષે આ મુદ્દાને લઈ સરકારને ઘેરી લીધી છે તેવામાં કોંગ્રસ નેતા પી ચિદંબરમએ ટ્વિટ કરી કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા કે વફાદાર અને આજ્ઞાકારી સ્વાસ્થ્યમંત્રી સ્વીકારશે નહીં કે દેશમાં વેક્સિનને લઈને કેવા હાલ છે. રસીકરણની પ્રક્રિયા સાવ ધીમી પડી ગઈ છે. સાથે જ તેમણે સવાલ પણ કર્યો કે આ થવા પાછળનું કારણ શું છે?
The only reason and explanation is SHORTAGE OF VACCINES
Of course, the loyal and obedient Union Health Minister will flatly deny any shortage of vaccines!
દરરોજ રસીકરણની સંખ્યામાં ઘટાડો કેમ?
સાથે જ તેમણે ટ્વિટમાં લખ્યું કે "દરરોજ રસીકારણની સંખ્યામાં ઘટાડો કેમ થઈ રહ્યો છે? શુક્રવારે માત્ર 11 લાખ જ ડોઝ આપવામાં આવ્યા, મે મહિનામાં તો દરરોજ આ આંકડા ઘટી રહ્યા છે. જ્યારે 2 એપ્રિલના રોજ દેશમાં 42 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. તેમણે ડૉ. હર્ષવર્ધનનું નામ લીધા વગર જ પ્રહાર કર્યો કે આ વધુ થવા પાછળ માત્ર એક જ કારણ છે કે ભારત પાસે પૂરતી વેક્સિન જ નથી. આ વાતમાં કોઈ જ શંકા નથી કે આપણાં વફાદાર અને આજ્ઞાકારી સ્વાસ્થ્યમંત્રી આ વાત સ્વીકારશે જ નહીં.
મે મહિનાથી વેક્સિનના આંકડા સતત ઘટી રહ્યા છે
દેશમાં 16 જાન્યુઆરીથી વેકસીનેશન શરૂ થયું હતું. ત્યારથી લઈ અત્યાર સુધી દેશમાં માત્ર 18.4 કરોડ લોકો જ એવા છે કે જેમને વેક્સિનનો માત્ર એક ડોઝ મળ્યો છે. પણ મે મહિનાથી વેક્સિનના ડોઝ આપવામાં સતત ઘટાડો થઈ રહ્યો છે, દેશમાં 1 મે ના રોજ 18.26 લાખ લોકોને વેક્સિન લગાડવામાં આવી હતી અને 14 મે માં આંકડો ઘટીને 11.4 લાખ થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે આ સ્થિતિના કારણે હવે ઘણી રાજ્ય સરકાર વેક્સિન લેવા માટે ગ્લોબલ ટેન્ડર કરી રસીકરણ ઝડપી કરવા માંગે છે. સાથે કેન્દ્ર સરકાર પણ હવે બીજા દેશ પાસેથી વેક્સિન લઈને રસીકરણ ઝડપી બનાવવા જઈ રહ્યું છે.