સુદિપ્તો સેનના નિર્દેશનમાં બનેલ આ ફિલ્મનો સમગ્ર દેશમાં વિવાદ શરૂ થયો છે. સોશિયલ મીડિયા પર આ ફિલ્મ બાબતે અલગ અલગ રિએક્શન આપવામાં આવી રહ્યા છે.
બોક્સ ઓફિસ પર 100 કરોડનો આંકડો પાર કર્યો
સોશિયલ મીડિયા પર અલગ અલગ રિએક્શન મળી રહ્યા છે
અભિનેત્રી અદા શર્માએ કરી ઈમોશનલ પોસ્ટ
ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ને સારો પ્રતિસાદ મળતા અભિનેત્રી અદા શર્માએ ખુશી વ્યક્ત કરી છે. સુદિપ્તો સેનના નિર્દેશનમાં બનેલ આ ફિલ્મનો સમગ્ર દેશમાં વિવાદ શરૂ થયો છે. સોશિયલ મીડિયા પર આ ફિલ્મ બાબતે અલગ અલગ રિએક્શન આપવામાં આવી રહ્યા છે. આ ફિલ્મે વૈશ્વિક સ્તરે પહેલા સપ્તાહમાં બોક્સ ઓફિસ પર 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ભારતમાં પણ આ ફિલ્મ ટૂંક સમયમાં 100 કરોડના ક્લબમાં શામેલ થઈ જશે.
અદા શર્માએ દર્શકોને આપ્યો શ્રેય
ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’એ અનેક રેકોર્ડ તોડ્યા છે અને બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ છે. અનેક રાજ્યોમાં પ્રતિબંધ મુકવા છતા ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ વિજેતા બની ગઈ છે. આ ફિલ્મને સફળ બનાવવા બદલ અદા શર્માએ દર્શકોનો આભાર વ્યક્ત કર્યો છે.
ફેન્સનો આભાર વ્યક્ત કર્યો
અદા શર્માએ 13 મેના રોજ શનિવારે એક ફોટો શેર કરીને લાંબી નોટ લખી છે. જેમાં અદા શર્માએ જણાવ્યું છે કે, ‘મારી ઈમાનદારીને બદનામ કરવી, મારી ઈમાનદારીની મજાક ઉડાડવી, ધમકી, ટીઝરનો વિરોધ, કેટલાક રાજ્યોમાં ફિલ્મ પર પ્રતિબંધ, બદનામી અભિયાન શરૂ કરવામાં આવ્યું. પરંતુ દર્શકોએ ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ને નંબર 1 ફીમેલ લીડ ફિલ્મ બનાવી દીધી છે. આ માત્ર હજુ પહેલુ સપ્તાહ છે. વાહ દર્શકો તમે જીતી ગયા. તમે અદા શર્માને જીતી લીધી.’
આ રિસ્પોન્સની આશા નહોતી
ફિલ્મની ભવ્ય સફળતાને કારણે ફિલ્મની કો-સ્ટાર યોગિતા બિહાનીએ ફિલ્મની સફળતાને ડિકોડ કરી. યોગિતાએ આ ફિલ્મમાં મૈથ્યૂજ નામની જિદ્દી યુવતીનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મને સફળતા મળતા યોગિતાએ જણાવ્યું છે કે, ‘હું અને અદા બીજા દિવસે વાત કરી રહ્યા હતા. અમે ખૂબ જ લાગણૂપૂર્વક આ ફિલ્મ બનાવી છે. અમે ક્યારેય નહોતું વિચાર્યું કે આવું થશે.’